ગોંડલના જામવાડીમાં ટ્રકમાં તાલપત્રી બાંધતી વખતે પટકાતા પ્રૌઢનું મોત

  • February 06, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના જામવાડી જીઆઇડીસીમાં બે દિવસ પહેલા ટ્રક ઉપર તાલપત્રી બાંધતી વખતે નીચે પટકાતા ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ મૂળ આંધ્રપ્રદેશના અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા મનીબાબુ મસ્તાનરાવ કોલા (ઉ.વ ૫૪) નામના પ્રૌઢ ગત ૨ ના ગોંડલની જામવાડી જીઆઇડીસીમાં હતા ત્યારે ટ્રકમાં માલસામાન ભરવાનો હોવાથી તેની ઉપર તાલપત્રી બાંધતા હતા ત્યારે બેલેન્સ ગુમાવી દેતા ટ્રક પરથી નીચે પટકાયા હતા, માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ ગોંડલની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું કાલે સાંજે ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ બી-ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી વતનમાં રહેતા પરિવારજનોને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application