શ્રાવણ ઇફેકટ: રાજકોટ યાર્ડમાં બટેટા મોંઘાદાટ, રૂા.૫૦ના કિલો

  • August 20, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વરસાદના વિરામ વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી આવકો વધતા શાકભાજી સસ્તું થયું છે પરંતુ શ્રાવણ માસ નિમિતે માંગ વધતા બટેટા મોંઘાદાટ થયા છે અને ભાવ પ્રતિ કિલોના .૫૦ સુધી પહોંચ્યો છે. ગઇકાલે રક્ષાબંધન પર્વની રજા બાદ આજે ખુલતી બજારે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. હરરાજીમાં .૩૦ના કિલોના ભાવે હોલસેલ સોદા થયા હતા, હરાજી બાદ યાર્ડમાં થયેલા રિટેઇલ વેચાણમાં બટેટા .૫૦ના કિલો વેંચાયા હતા.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં સ્થાનિક કોલ્ડ સ્ટોરેજમાં રહેલા જુના બટેટાનો જથ્થો માર્કેટમાં ઠલવાઇ રહ્યો છે તદઉપરાંત ડીસાથી દરરોજ ૨૫થી ૩૦ ટ્રક બટેટાની આવક થઇ રહી છે. નવા બટેટાની આવક દિવાળી પછી શ થશે.હાલ શ્રાવણ માસમાં વ્રત–તહેવારોમાં ઉપવાસ–એકટાણામાં પેટીસ, સુકીભાજી, ફરાળી ખીચડી, વેફર વિગેરેનો વિશેષ ઉપયોગ થતો હોય અને તે તમામમાં બટેટાનો ઉપયોગ થતો હોય છે આથી હાલ બટેટાની ભારે માંગ રહેતા ભાવમાં વધારો જોવા મળ્યો છે.
યાર્ડમાં ભાવ વધતાની સાથે જ તેની સીધી અસર શહેરની રિટેઇલ શાક માર્કેટ ઉપર જોવા મળી રહી છે અને સોસાયટીઓમાં શાકભાજી વેંચવા નીકળતા રેંકડી ધારકોએ પણ ભાવ વધાર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application