વરસાદના વિરામ વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી આવકો વધતા શાકભાજી સસ્તું થયું છે પરંતુ શ્રાવણ માસ નિમિતે માંગ વધતા બટેટા મોંઘાદાટ થયા છે અને ભાવ પ્રતિ કિલોના .૫૦ સુધી પહોંચ્યો છે. ગઇકાલે રક્ષાબંધન પર્વની રજા બાદ આજે ખુલતી બજારે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. હરરાજીમાં .૩૦ના કિલોના ભાવે હોલસેલ સોદા થયા હતા, હરાજી બાદ યાર્ડમાં થયેલા રિટેઇલ વેચાણમાં બટેટા .૫૦ના કિલો વેંચાયા હતા.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં સ્થાનિક કોલ્ડ સ્ટોરેજમાં રહેલા જુના બટેટાનો જથ્થો માર્કેટમાં ઠલવાઇ રહ્યો છે તદઉપરાંત ડીસાથી દરરોજ ૨૫થી ૩૦ ટ્રક બટેટાની આવક થઇ રહી છે. નવા બટેટાની આવક દિવાળી પછી શ થશે.હાલ શ્રાવણ માસમાં વ્રત–તહેવારોમાં ઉપવાસ–એકટાણામાં પેટીસ, સુકીભાજી, ફરાળી ખીચડી, વેફર વિગેરેનો વિશેષ ઉપયોગ થતો હોય અને તે તમામમાં બટેટાનો ઉપયોગ થતો હોય છે આથી હાલ બટેટાની ભારે માંગ રહેતા ભાવમાં વધારો જોવા મળ્યો છે.
યાર્ડમાં ભાવ વધતાની સાથે જ તેની સીધી અસર શહેરની રિટેઇલ શાક માર્કેટ ઉપર જોવા મળી રહી છે અને સોસાયટીઓમાં શાકભાજી વેંચવા નીકળતા રેંકડી ધારકોએ પણ ભાવ વધાર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech