પોરબંદર જિલ્લાનું ધો.૧ર સા.પ્ર.નુ ૯૦.૮૪ ટકા અને વિજ્ઞાન પ્રવાહનુ ૮૧.૫૯ ટકા પરીણામ

  • May 05, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧રના પરીણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પોરબંદરનુ બન્ને પ્રવાહનુ રેકોર્ડબે્રક પરીણામ જાહેર થયુ છે  ધો.૧ર સામાન્ય પ્રવાહનુ  ૯૦.૮૪ ટકા અને વિજ્ઞાન પ્રવાહનુ ૮૧.૫૯ ટકા પરીણામ જાહેર થયુ છે. ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓને ફુલડે-ફુલડે વધાવાયા હતા. 
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૧.૫૯ ટકા પરીણામ 
પોરબંદરમાં ધો.૧ર સાયન્સમાં કુલ ૩૧૬ વિદ્યાર્થીઓ નોંધાયેલ  હતા જેમાંથી ૩૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી  જેનુ પરીણામ ૮૧.૫૯ ટકા છે. એ-૧ ગ્રેડમાં બે વિદ્યાર્થી, એ-ટુ ગ્રેડમાં  ૩૨ વિદ્યાર્થી, બી-૧ ગ્રેડમાં ૪૫ વિદ્યાર્થી, બી-રમાં ૭૦ વિદ્યાર્થી, સી-૧માં ૬૩ વિદ્યાર્થી અને સી-ટુમાં ૩૭ વિદ્યાર્થીઓ અને ૮ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે એન.આઇ.માં ૫૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. 
ધો.૧૨ સામાન્ય પ્રવાહનું સર્વશ્રેષ્ઠ ૯૦.૮૪% પરિણામ 
પોરબંદરમાં ધો.૧ર સામાન્ય પ્રવાહમાં કુલ ૨૮૩૮ વિદ્યાર્થીઓ નોંધાયેલ  હતા જેમાંથી ૨૮૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનુ પરીણામ ૯૦.૮૪% છે. જેમાં એ વન ગ્રેડમાં ૨૬, એ ટુમાં ૩૧૫ વિદ્યાર્થી, બી-૧ ગ્રેડમાં ૬૧૪ વિદ્યાર્થીઓ, બી-ટુમાં ૭૬૨ વિદ્યાર્થીઓ, સી-૧માં ૫૬૨ વિદ્યાર્થીઓ, સી-ટુમાં ૨૬૮ વિદ્યાર્થીઓ અને ૨૧ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે. ઇ-વનમાં એક વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. જ્યારે એન.આઇ.માં ૨૬૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application