ભારતના હવામાન વિભાગના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સેમિનારનું આયોજન કયુ છે. જેમાં હાજરી આપવા ભારતે બાંગ્લાદેશને આમંત્રણ આપ્યું હતું. પરંતુ કંગાળ બાંગ્લાદેશે પોતાની ઓકાત દેખાડી અવળચંડાઈ દેખાડી છે. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબધં હોવાનો ઉલ્લેખ કરીને ભારત સરકારના આમંત્રણને નકારી કાઢું છે.
પ્રા અહેવાલ અનુસાર આઇએમડીના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૪ જાન્યુઆરીએ દિલ્હીના મંડપમ ખાતે યોજાનાર આ સેમિનાર માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત અવિભાજિત ભારતનો ભાગ રહેલા પડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાને સેમિનારમાં ભાગ લેવાની પુષ્ટ્રિ કરી છે. જો કે, બાંગ્લાદેશે તેમાં જોડાવાનો ઇનકાર કર્યેા હતો.
બાંગ્લાદેશ હવામાન વિભાગના કાર્યકારી નિર્દેશક મોમિનુલ ઇસ્લામે એક મહિના પહેલા આઈએમડી તરફથી આમંત્રણ મળવાની પુષ્ટ્રિ કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય હવામાન વિભાગે અમને તેની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણીમાં આમંત્રણ આપ્યું છે. અમે સારા સંબંધો જાળવીએ છીએ અને તેમને સહયોગ આપવાનું ચાલુ રાખીએ છીએ. સરકાર દ્રારા ભંડોળ પૂં પાડવામાં આવતી બિન આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબધં હોવાથી અમે આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા નથી.
બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૭૫માં સ્થાપિત, ૧૫ જાન્યુઆરીએ ૧૫૦ વર્ષ પૂર્ણ કરશે. ૧૮૬૪માં કલકત્તામાં આવેલા વાવાઝોડા અને ૧૮૬૬ અને ૧૮૭૧માં દુષ્કાળ બાદ તેની સ્થાપના કરવામાં આવી હતી. જે એક સમયે એક સરળ માળખા તરીકે શ થયું હતું તે આજે હવામાન આગાહી, સંદેશાવ્યવહાર અને વૈજ્ઞાનિક નવીનતાનું કેન્દ્ર બની ગયું છે. હવામાન વિભાગના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત સેમિનારમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જે અવિભાજિત ભારતનો ભાગ હતા. આ સેમિનાર માટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, શ્રીલંકા અને નેપાળના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech