હિરલબા જાડેજાએ ૨૦ રાજ્યમાં થયેલા સાયબર ક્રાઇમના ૮૩ ગુન્હાના નાણા બાવીસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યાનો પોલીસે કર્યો ઘટસ્ફોટ!

  • June 02, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઇબર ક્રાઇમ અને ૭૦ લાખની લેતીદેતી પ્રશ્ર્ને અપહરણ અને ગોંધી રાખવાના બે ગુન્હા પોરબંદર પોલીસ ચોપડે હિરલબા જાડેજા સામે અગાઉ નોંધાઇ ચૂકયા બાદ હવે ૨૦ રાજ્યમાં સાઇબર ક્રાઇમના ૮૩ ગુન્હાના નાણા જૂનાગઢ ખાતે ૨૨ જેટલા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર દ્વારા મેળવ્યાનો દાવો કરીને જુનાગઢ પી.એસ.આઇ. દ્વારા ગુન્હો દાખલ થયો છે.
જૂનાગઢ પી.એસ.આઇ. ફરિયાદી
જૂનાગઢ સાઇબર ક્રાઇમ પોલીસ મથકના  પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. જે. બારડ દ્વારા જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા અપાયેલી માહિતી અને પત્રના આધારે માહિતી એકત્ર કરતા પ્રતાપભાઇ ભરાડના નામની અર્હમ કોમોડીટી, પારસ જોષીની વિઠ્ઠલ પલ્સ કોમોડીટી અને ભરત સુત્રેજાની  ભરત એન્ટરપ્રાઇઝ નામની ત્રણ પેઢીના નામે જુનાગઢ જિલ્લાની નવ જેટલી બેન્કમાં ૨૨ જેટલા ખાતા ખોલવામાં આવ્યા હતા અને આ બેન્કના ૨૨ ખાતામાં ૮૩ જેટલા સાઇબર ક્રાઇમના નાણા ટ્રાન્સફર થયા હતા જેમાં દેશના અલગ-અલગ રાજ્યના નાણા હોવાનું જાણવા મળ્યુ હતુ. 
પોલીસે કરી પૂછપરછ
૮૩ જેટલા સાઇબર ક્રાઇમના ગુન્હામાં જેમના નામે પેઢીઓ શ‚ કરવામાં આવી હતી તે પ્રતાપ મહેન્દ્રભાઇ ભરાડને પોલીસમથક ખાતે બોલાવીને પૂછપરછ કરતા તેમણે એવું જણાવ્યુ હતુ કે ગત જુલાઇમાં હિરલબા જાડેજાએ પ્રતાપનો ટેલીફોન સંપર્ક કરી ગોડાઉન ખોલી નાના-મોટા ધંધા કરવાનું પ્રલોભન આપી પ્રતાપનું આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવી લીધુ હતુ ત્યારબાદ હિરલબાના માણસો સચિન મહેતા અને નૈતિક માવાણીએ જૂનાગઢના દિવાનચોક ખાતે આવીને પ્રતાપને બોલાવીને અર્હમ કોમોડીટીસ નામની પેઢીનો ભાડા કરાર તૈયાર કરાવી નોટરી પાસે જઇ પ્રતાપના સહી સિક્કા કરાવ્યા હતા અને જાણ બહાર જી.એસ.ટી. નંબર મેળવી અલગ-અલગ બેન્કમાં ખાતા ખોલાવી આર્થિક વ્યવહાર કર્યા હતા. કોરા ચેકમાં અને આર.ટી.જી.એસ.ના ફોર્મમાં સહી કરાવી હતી. ત્યારબાદ હિરલબાનો બીજો માણસ હિતેશ ભીમા ઓડેદરા અને નૈતિક માવાણીએ પ્રતાપને  ટ્રાઇડલ પ્લાઝા ખાતે બોલાવી અન્ય બેન્કમાં મોટી સંખ્યામાં કોરા ચેક અને આર.ટી.જી.એસ. ફોર્મમાં સહી કરાવી હતી.આ ખાતાની તપાસ કરતા સાઇબર ફ્રોડના ‚પિયા  આ ખાતામાં ટ્રાન્સફર થયાનું બહાર આવ્યુ હતુ. એ જ રીતે પારસ પ્રભાશંકરભાઇ જોષી અને ભરત સુત્રેજાને પણ એ જ પધ્ધતિથી હિરલબા જાડેજાએ બોટલમાં ઉતારીને ખાતા ખોલાવ્યા હતા. 
પોલીસે નોંધ્યો ગુન્હો
આ બધી માહિતી જોતા હિરલબા જાડેજા તથા તેમના માણસો નૈતિક માવાણી, સચીન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસ જે ખુલે તેઓ દ્વારા પૂર્વ આયોજીત કાવતરુ રચી પ્રતાપભાઇ ભરાડ, પારસભાઇ જોષી તથા ભરતભાઇ સૂત્રેજાને કપટપૂર્વક પ્રલોભન આપી તેઓના નામના ખોટા દસ્તાવેજો તથા ખોટા બીલોના આધારે બોગસ પેઢીઓ બનાવડાવી તથા પેઢીઓના નામના સિક્કાઓ બનાવડાવી તેઓ ત્રણેયની જાણ બહાર તેમના નામના જી.એસ.ટી. નંબર તથા અન્ય સર્ટીફિકેટ કઢાવી જે સર્ટીફિકેટ ખોટા છે તેવું આરોપીઓ જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવી કપટપૂર્વક ત્રણેય પાસેથી બેંકના રોકા ચેકોમાં તેમજ આર.ટી.જી.એસ. ફોર્મમાં સહીઓ કરવાી તે મળવી લઇ, સાઇબર ફ્રોડ દ્વારા વિવિધ રાજ્યોના અલગ-અલગ ભોગ બનનાર પાસેથી છેતરપીંડીથી મેળવેલ ‚પિયા તે ‚પિયા સાઇબર ફ્રોડના છે  તેવુ જાણતા હોવા છતા જાણીબુજીને સાહેદોના કુલ ૨૨ બેન્ક ખાતાઓમાં વારંવાર મેળવી લઇ પ્રોપરાઇટરોની જાણ બહાર બેન્ક એકાઉન્ટમાંથી નાણા ઇલેકટ્રોનીકના માધ્યમથી ઓનલાઇન ટ્રાન્સફર તથા કેસ વીડ્રોલ કરી ‚પિયા સગેવગે કરી સાયબર ફ્રોડની ઠગાઇના નાણાનો આર્થિક લાભ મેળવી ગુન્હો કરેલ હોય તેઓની સામે ભારતીય ન્યાયસંહિતા-૨૦૨૩ની કલમ -૩૩૬(૨),૩૩૬(૩), ૩૩૮,૩૪૦(૨), ૩૧૮(૪), ૩૧૭(૨), ૩૧૭(૪), ૬૧(૨) તથા ઇર્ન્ફોમેશન ટેકનોલોજી એકટ -૨૦૦૦ની કલમ -૬૬(સી),  ૬૬(ડી) મુજબ ધોરણસર ફરિયાદ દાખલ થઇ છે ત્યારે હાલમાં હિરલબા જુનાગઢની જેલમાં છે અને ત્યાંથી જ કબ્જો લઇ પોલીસ આગળની કાર્યવાહી કરશે તેમ જણાઇ રહ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application