જામનગર જિલ્લા જેલમાં 31 જાન્યુઆરીએ થયેલી ગેરકાયદે મુલાકાત મામલે પોલીસે તપાસ તેજ બનાવી છે. અનિરૂધ્ધસિંહ જાડેજા અને ભુપત ભરવાડ સહિત ત્રણ વ્યક્તિઓએ જેલમાં રહેલા રજાક અને યશપાલ જાડેજા નામના બે કેદીઓને નિયમ વિરુદ્ધ મળ્યા હતા.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની ટીમે જેલમાં દરોડો પાડી પુરાવા એકત્ર કર્યા હતા. ડીવાયએસપી ઝાલાએ ભુપત ભરવાડને નોટિસ પાઠવી હતી. 7 માર્ચે પોલીસ સમક્ષ હાજર થયેલા ભુપતની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની સખ્તાઈ જોઈને ભુપતે હાથ જોડીને ભવિષ્યમાં જામનગર ન આવવાની વાત કરી હતી.
13 માર્ચે ધૂળેટીના દિવસે ભુપતને ફરી બોલાવવામાં આવ્યો હતો. આ વખતે એસપી ડેલૂની ચેમ્બરમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભુપત અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. જેલમાં રહેલા બંને કેદીઓ પણ ગંભીર ગુનાના આરોપી છે.
પોલીસ તપાસી રહી છે કે આ મુલાકાત પાછળનો હેતુ શું હતો. કોઈ નવા ગુનાનું આયોજન કે જૂના ગુનાનો ઢાંકપિછોડો કરવાનું કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. ભુપત સાચી હકીકત છુપાવી રહ્યો હોવાથી આગામી દિવસોમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.
ભુપત ભરવાડ ની જામનગર પોલીસ પૂછપરછ કરવા માટે બોલાવ્યો ત્યારે જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલુ ની કચેરીએ લઈ જવામાં આવ્યો ત્યારે SP ઓફિસની અંદર પ્રેમસુખ ડેલુ ની સામે હાજર થયો ત્યારે SP પ્રેમસુખ ડેલૂ ખુરશી ઉપર થી ઊભા થતા ની સાથે જ ભુપત ભરવાડને પરસેવો ભરી ગયો.અને કેવા લાગ્યો કે મારી ભૂલ થઈ બીજી વાર ક્યારેય પણ જામનગર નહીં આવું.
પોલીસને વારંવાર ભુપત ભરવાડ ને પૂછપરછ કરવાનું કારણ શું?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSRH vs RR IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે જીત સાથે સિઝનની શરૂઆત કરી, રાજસ્થાનને 44 રનથી હરાવ્યું
March 23, 2025 09:05 PMઆગામી કુંભ નાસિકમાં યોજાશે, ફડણવીસ સરકાર તૈયારીઓમાં વ્યસ્ત
March 23, 2025 08:45 PMકઠુઆ એન્કાઉન્ટર: હીરાનગર કઠુઆમાં એન્કાઉન્ટર શરૂ, ચારે બાજુથી 5 આતંકવાદીઓ ઘેરાયા
March 23, 2025 08:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech