ઉત્તરાયણના પર્વ પર ખરીદી કરવા ગયેલા વૃધ્ધાના . ૨ લાખના સોનાના દાગીના તથા . ૭૫૦૦ રોકડ, મોબાઇલ સાથેની બેગ ઓટો રીક્ષામા ભુલી ગયા હતાં. જે અંગેની જાણ કરતા માલવીયાનગર પોલીસ તપાસ હાથ ધરી રિક્ષાચાલકને શોધી કાઢી આ તમામ વસ્તુ તેમને પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્રના સુત્રને સાર્થક કયુ હતું.
ગઈ તા.૧૩૦૧૨૦૨૫ ના ઉતરાયણ પર્વ પર જયાબેન દામજીભાઇ મુંગરા (ઉ.વ.૬૬, રહે. બ્લોક નં સી૨૩, અભીરામ પાર્ક શેરી નં ૦૩, ફીલ્ડ માર્શલ વાડી પાસે, રામપાર્ક સામે, જુનો મોરબી રોડ) ધર્મેન્દ્ર રોડ ખાતે ખરીદી કરીને ત્રીકોણબાગ ખાતેથી એક ઓટો રીક્ષામા બેસેલ હોય અને તે રીક્ષામા પોતાનુ બેગ રાખેલ હોય અને પોતાના દીકરાના ઘરે અક્ષર વાટીકા ૪૦ નો રોડ એસ.કે પી સ્કુલની બાજુમા જતા હોય અને ઓમનગર સર્કલ પાસે રીક્ષામાંથી ઉતર્યા હતાં.ઉતાવળમા રીક્ષામા પોતાનુ બેગ ભુલી ગયેલ હોય અને બાદમા માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આવીને આ બાબતે જાણ કરી હતી.
પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.એસ.ગજેરા તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ત્રીકોણબાગથી બસ સ્ટેન્ડ, મક્કમ ચોક, શ્રી વિવેકાનદં બ્રીજ, આનદં બંગ્લા ચોક, મવડી ચોકડી, ઓમનગર સર્કલ ખાતેના તમામ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી તલસ્પર્શી તપાસ કરતા વૃધ્ધ મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષાની તપાસમા હતા.દરમિયાન હેડ.કોન્સ જયદેવસિંહ પરમાર તથા કોન્સ. મનીષભાઇ સોઢીયા, ચીત્રકેતુસિંહ ઝાલાને મળેલી માહીતીના આધારે વૃધ્ધા મહીલા જે રીક્ષામા બેસેલ હોય તે રીક્ષા ચાલકને શોધી કાઢી તેને પુછતા બેગ પોતાની પાસે રાખી હોવાની જણાવ્યું હતું. જેથી પોલીસે તમામ દાગીનાની અંદાજી કી.. ૨,૦૦,૦૦૦ તથા રોકડ .૭,૫૦૦ તથા એક મોબાઇલ ફોન તથા દવાઓ અને કપડાઓ ભરેલ બેગ મેળવી અરજદારને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી દાગીનાની ખરાઇ કરી તેઓને સોંપી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech