બહરાઈચમાં હત્યા કરનાર તાલિબ અને સરફરાઝના પોલીસ દ્રારા એન્કાઉન્ટર

  • October 17, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બહરાઈચના મહસીના મહારાજગજં વિસ્તારમાં દેવીની શોભાયાત્રા દરમિયાન રામગોપાલ મિશ્રા નામના વ્યકિતની હત્યા કરનાર બે આરોપીઓ સરફરાજ અને તાલિબનું પોલીસ અને એસટીએફએ એન્કાઉન્ટર કયુ છે. પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓએ નેપાળ તરફ ભાગવાનો પ્રયાસ કર્યેા હતો. આ પછી તેનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું.રામ ગોપાલ મિશ્રાની હત્યા કરનાર આરોપી સરફરાઝ સાથે ગુવારે પોલીસ એન્કાઉન્ટર થયું હતું. મુખ્ય આરોપી રિંકુ ઉર્ફે સરફરાઝ અને તાલિબ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. મુખ્ય આરોપી સરફરાઝ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. આ દરમિયાન આ એન્કાઉન્ટર નેપાળ બોર્ડર પાસે હાંડા બશેહરી કેનાલ પાસે થયું હતું.દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને આરોપીઓ બહરાઇચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાની હત્યામાં સામેલ હતા.  તેણે જ તેના મિત્રો સાથે મળીને રામ ગોપાલ પર ફાયરિંગ કયુ હતું.  ઘટનાના સમયના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં અબ્દુલ હમીદના ટેરેસ પર ચારથી પાંચ લોકો જોવા મળે છે.  આ ધાબા પર જ રામ ગોપાલને ગોળી વાગી હતી.બહરાઈચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહત્પઆ મંસૂર ગામના રહેવાસી રામ ગોપાલ મિશ્રા રવિવારે સાંજે લગભગ ૬ વાગ્યે દુર્ગા મૂર્તિના વિસર્જનની શોભાયાત્રામાં સામેલ હતા.  યારે આ સરઘસ મહારાજગજં માર્કેટમાં એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી.  આરોપ છે કે આ દરમિયાન ધાબા પરથી પથ્થરો ફેંકવા લાગ્યા, જેના કારણે વિસર્જન દરમિયાન નાસભાગ મચી ગઈ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application