રાજકોટમાં આજરોજ સવારના સુમારે ઇન્દિરા સર્કલ પાસે ગોઝારા અકસ્માતની ઘટના બની હતી અહીં માતેલા સાંઢની જેમ ધસી આવેલી સીટી બસે સાતથી આઠ વાહનોને હડફેટે લીધા હતાં. જેમાં ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. ઘટનામાં મોતને ભેટનાર રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉં. ૩૫, રહે, સત્યમ પાર્ક, આરએમસી ઓડિટ વિભાગના ક્લાર્ક ), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉં.૪૦, રહે સ્વામિનારાયણ મંદિર સામે, અક્ષર માર્ગ), ચિન્મય ઉર્ફે લાલો હર્ષદભાઈ .-ભટ્ટ (ઉં. ૨૫, રહે. હાથીખાના શેરી નં.૨), કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડ (ઉં.૪૭, રહે. કાલાવડ રોડ, કોટેચા ચોક)નો સમાવેશ થાય છે.જયારે બાળકી સહિત ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ સીટી બસમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.
રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી દેતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો
અકસ્માતની ઘટનાને લઇ અહીં લોકોના ટોળે ટોળાં એકત્ર થયા હતાં. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમજાવટનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી દેતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.અકસ્માતની આ ઘટનામાં સિટી બસના ચાલક શીશુપાલ દિલુભા રાણા(રહે. રતનપર) સાથે રોષે ભરાયેલા લોકોએ મારકૂટ કરી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેને લઇ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે દ્વારા બસ ચાલક સામે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લોકો રોષ વ્યકત કરી સિટી બસ બંધ કરોના નારા લગાવ્યા
અકસ્માતની આ ઘટનાને લઇ અહીં ટોળે વળેલા લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, સીટી બસના ચાલકે સિગ્નલ બંધ હોવા છતાં બસ હંકારી મુકી હતી. તેમજ બસનો ચાલક નશો કરી વાહન ચલાવતો હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો. બેફામ બનેલા સિટી બસના ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોય દરમિયાન આજરોજ બનેલી આ ગોઝારી ઘટના બાદ લોકો રોષ વ્યકત કરી સિટી બસ બંધ કરોના નારા લગાવ્યા હતાં.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં
ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ આજરોજ સવારના સુમારે ટ્રાફિકથી ધમધમતા એવા ઇન્દિરા સર્કલ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી સિટી બસ નં.જીજે 03 બિઝેડ 0466એ સાતથી આઠ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતની આ ઘટના બાદ અહીં નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માતમાં સાતેક લોકોને ઇજાઓ પહોંચી હતી. જે પૈકી ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. અકસ્માતની આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતાં. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર સિટી બસ પર પથ્થરમારો કરી તેના કાચ ફોડી નાખ્યા હતાં. અકસ્માતની આ ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.
અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો હોય પોલીસ દ્વારા તેમને સમજાવી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો હોય લોકો ટસના મસ થયા ન હતાં. દરમિયાન સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસ્માતના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ સવારના દસેક વાગ્યા આસપાસ અહીં ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હતું તે સમયે કોટેચા ચોક તરફથી આવેલી સીટી બસના ચાલકે બેફામ પણે બસ હંકારતા અહીં સિગ્નલે ઉભેલા છથી સાત વાહનોને હડફેટે લીધા હતાં. જેમાં ગંભીર ઇજા થવા સબબ ચારના ઘટનાસ્થળે મોત થયા હતાં આ ઉપરાંત અન્ય ચારેક વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સિટી બસ બંધ કરોના રોષે ભરાયેલા ટોળાંએ નારા લગાવ્યા
ઇન્દિરા સર્કલ પાસે આજરોજ સવારના સુમારે બનેલી ગોઝારા અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા હતાં અને એકની હાલત અત્યંત ગંભીર ગણાવવામાં આવી રહી છે. સિગ્નલ ખુલતાની સાથે જ સીટી બસના ચાલકે વાહન હંકારી સાત વાહનોને હડફેટે લીધા હતાં. અકસ્માતની આ ઘટના બાદ અહીં મોટી સંખ્યામાં ટોળાં એકત્ર થયા હતાં અને રોષ વ્યકત કર્યો હતો. સિટી બસ બંધ કરોના નારા લગાવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech