વર્ષ 2025 -26 ના જિલ્લા આયોજન મંડળ અંતર્ગત કરવાના થતા કામો માટે શું પ્લાનિંગ છે ? અને તેના માટે કેટલા નાણાંની જરૂરિયાત રહેશે ? તે સહિતની બાબતોની સમીક્ષા કરવા માટે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલે રાજકોટ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના તાલુકા વિકાસ અધિકારીઓ તથા ચીફ ઓફિસરોને બોલાવ્યા છે.
આવતીકાલે સાંજે ચાર વાગે જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાનારી આ મિટિંગમાં ધોરાજી ગોંડલ જામકંડોરણા જસદણ જેતપુર કોટડા કાંગાણી લોધિકા પડધરી, રાજકોટ ઉપલેટા વિછીયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓ અને ધોરાજી ગોંડલ જસદણ જેતપુર ઉપલેટા ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરો ને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી ને પણ મિટિંગમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા રાજકોટ શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખો દરેક નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો તથા આયોજન સમિતિના ચેરમેનોને પણ આ મિટિંગમાં હાજર રહેવા માટે જણાવ્યું છે.
આ મિટિંગમાં 15% વિવેકાધીન જોગવાઈ, પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ, ખાસ પછાત વિસ્તાર જોગવાઈ હેઠળ મંજૂર કરવાના થતા કામોની ચર્ચા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કરશે અને ચાલુ નાણાકીય વર્ષના જિલ્લા આયોજન મંડળના જે કામો મંજૂર થયા છે તેમાંથી કેટલા પૂરા થયા? કેટલા બાકી છે? અને નાણાકીય વર્ષ પૂરું થવાના આરે છે ત્યારે બાકી રહેલા કામની ગ્રાન્ટ બાબતે શું સ્થિતિ છે? તે સહિતની તમામ બાબતોની સમીક્ષા આવતીકાલની આ મિટિંગમાં કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech