યાત્રાધામ દ્વારકા ખાતે આજરોજ ચૈત્રવદ અમાસના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારકામાં આવ્યા હતા. ત્યારે વહેલી સવારે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પાસે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ દ્વારકાધીશના દર્શન કરવા ઉમટી હતી. ધક્કા મૂકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ બંદોબસ્ત નો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા રેલિગ સહિતની વ્યવસ્થા ના કરાતા બાળકો વૃદ્ધો ભિડમા ધક્કા મુકીમાં ફસાયા હતા. ચૈત્ર મહિનો છેલ્લા દિવસ હોય અમાસના દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકો ગોમતી સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા. ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી જગત મંદિરે ઠાકોરજીના દર્શન કર્યા હતા.
પૂજારીએ શ્રીજીને અલૌકિક શિંગાર કરી વૈષ્ણવોને દર્શન કરાવ્યા હતા. હજારો ભાવિકો એ શ્રીજીના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા. ઉલ્લેખિયન છે કે વાર તહેવાર તેમજ પૂનમ અને અમાસના મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા દર્શનાર્થે આવતા હોય અવ્યવસ્થા ના કારણે દૂર દૂરથી આવતા ભાવિકો હેરાન પરેશાન થાય છે. દ્વારકાની ખરાબ છબી લઈને જતા હોય છે. ત્યારે તંત્ર પણ ધ્યાન દેતું ન હોય ભાવિકોમાં રોષ વ્યાપ્યો હોય છે. હાલ વેકેશનનો સમય હોય તંત્ર દ્વારા ભાવિકોને જગત મંદિરે આરામથી જઈ શકે અને દર્શન કરી શકે તે માટે રેલિંગો સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગોમતીઘાટે રખડતાં આખલાઓ-પશુઓનો રોજીંદો ત્રાસઃ ન.પાલિકા તંત્ર ધોર નિંદ્રામાં...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech