ખીમરાણામાં ડાયવર્ઝન ધોવાઇ જતાં તાત્કાલીક રીપેર કરવા ડીડીઓને આવેદનપત્ર

  • July 29, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડાયવર્ઝનના અભાવે લોકોને ૬ કિ.મી. ફરવું પડતું હોવાની રાવ

જામનગરથી ૧૨ કિ.મી. દુર આવેલા ખીમરાણા ગામમાં બ્રિજ બનાવવાના કામમાં ઢીલાસ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઇ જતાં ગામ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને લોકોને ૬ થી ૭ કિ.મી. ફરીને જવું પડે છે તેવી રાવ કરી છે, આ અંગે ઘટતું કરવા લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપીને માંગણી કરી છે.
ખીમરાણાનો જુનો પુલ તોડીને લગભગ એકાદ વર્ષથી નવો પુલ બનાવવાની કામગીરી ચાલું છે, ડાયવર્ઝન લગભગ એકાદ માસથી તુટી ગયેલ છે, તેથી વાડીએ અવરજવર કરવા માટે લોકોને અને વાહનોને પશુધન સાથે લઇ જવામાં મુશ્કેલી પડે છે માટે તાત્કાલીક અસરથી પુલનું ડાયવર્ઝન કરવાની માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે. ડીડીઓએ આ અંગે ઘટતું કરવાની પણ ખાતરી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application