TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ ડે-ટુ-ડે ચલાવવા હતભાગી પરિવારો વતી અરજી

  • May 27, 2025 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના અતિ ગંભીર ગુનામાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ બાદ સેશન્સ કમિટ થયા પછી કેટલાક આરોપીઓ દ્વારા કેસ યેનકેન પ્રકારેણ વિલંબમાં નાખવામાં આવતો હોવા બાબતે હતભાગી પરિવારો વતી વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લેખિત રજુઆત કરી કેસની ટ્રાયલ 'ડે-ટુ-ડે' ચલાવવા અરજી દાખલ કરી છે. તેમાં કોર્ટ દ્વારા 12મી જુનના રોજ સુનાવણી રાખવામાં આવી છે.

રાજકોટના ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે જુદા જુદા આરોપીઓ દ્વારા વકીલો અંગે જુદી જુદી અગવડતાઓ કોર્ટમાં રજૂ કરી


અરજી પર આગામી 12 મી જુનના રોજ સુનાવણી હાથ ધરાશે

કેસને વિલંબમાં નાખવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે, અધુરામાં પુરૂં પાંચ આરોપીઓ દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી છે. જે ડિસ્ચાર્જ અરજીમાં પણ આરોપીઓના વકીલ છેલ્લી ત્રણ મુદતથી હાજર રહેતા નહિ હોવા બાબતે મુદત પડી રહી છે. ત્યારે અગ્નિકાંડ કેસ ચલાવવામાં અતિ વિલંબ થઈ રહ્યો હોવાનું જણાતા હતભાગી પરિવારો વતી રોકાયેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લેખિત રજુઆત કરી કેસની ટ્રાયલ 'ડે-ટુ-ડે' ચલાવવા અરજી દાખલ કરી છે. જે અરજી પર આગામી 12 મી જુનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.


સાગઠિયા અને ઠેબા સામેના અપ્રમાણસર મિલકતના કેસની છઠ્ઠી જૂને સુનાવણી

અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીપીઓ મનસુખ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને અધિકારી સામે અપ્રમાણસર મિલકતના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસ આગામી 6 જુનના રોજ સુનાવણી થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application