ગ્લુ ટ્રેપના વેચાણ પ્રતિબંધનો કડક અમલ કરવા હાઈકોર્ટેમાં અરજી

  • February 17, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ગ્લુ ટ્રેપના ખરીદ વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકતો કાયદો કડક હાથે અમલ કરાવવા ને લઈને સામાજિક કાર્યકર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે ગ્લુ ટ્રેપ ના વેચાણના પરિણામે 11 જેટલા નાના પ્રાણીઓ ટ્રેપ પર ચોંટી જવાથી ભૂખ તરસ થી રિબાઈને મૃત્યુ પામે છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા કાયદાનો કડક અમલ થાય તેવી રજૂઆત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
ગ્લુ ટ્રેપ્ના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની દાદ માગતી રિટ પિટિશનમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે ગ્લુ ટ્રેપ્ના પ્રતિબંધની જોગવાઇઓ કરેલી છે, તો તેના અમલ માટે શું કરવામાં આવી રહ્યું છે.આ કેસમાં બંને તરફથી થયેલી દલીલો અને હાઇકોર્ટના સવાલોના અંતે કોર્ટે સમગ્ર મામલે સ્પષ્ટ જોગવાઇઓ જણાવી રજૂઆત કરવાનું કહી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.
સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ નરેન્દ્રસિંહ રાણાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે જાહે2 હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સરકારે અગાઉ એક એફિડેવિટ રજૂ કરીને કહ્યું હતું કે, મુજબ રાજ્યના 33 જિલ્લ ામાં ગ્લુ ટ્રેપ્ના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધના કડક અમલીકરણ માટે સૂચના આપી દેવામાં આવી છે.
અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપ પર ઉંદર, ખિસકોલી પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રિબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શક્તા તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે.
અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપ્ના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત પેટા ની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 5 સપ્ટેમ્બર 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
તે પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960ના સેક્શન 11 પ્રાણીઓ પ્રત્યેની ક્રુરતાને અટકાવે છે. જે પણ નાનું પ્રાણી ગ્લુ ટ્રેપ્ની સરફેસ ઉપર ચોંટે છે હલી પણ શકતું નથી. ભારત સરકારે પણ વર્ષ 2001 અને 2020માં આ સંદર્ભે સર્ક્યુલર જાહેર કરીને ગ્લુ ટ્રેપ્ના વેચાણ, ઉપયોગ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે, પાલતુ પ્રાણીઓને આ ગ્લુ ટ્રેપ ચોટે તો તેના માટે પણ સર્જરી કરાવી પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application