સમર્પણ હોસ્પિટલ તથા દરબારગઢ પાસેના રસ્તાની સાઇડમાં માલનું વેંચાણ કરતા લોકોને હટાવાયા

  • November 30, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સમર્પણ હોસ્પિટલથી સ્વામીનારાયણ મંદિર તથા દરબારગઢ વિસ્તારમાંથી સાઇડમાં કેટલાક વેપારીઓ દ્વારા માટલા, શાકભાજી તથા અન્ય ચીજવસ્તુઓ રેંકડીમાંથી રાખી અને પાથરણા પાથરી વેચતા હોય જેના કારણે અવારનવાર ટ્રાફીકજામની સ્થિતિ થતી હોય ત્યારે ગઇકાલે મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ આ વિસ્તારમાંથી પસાર થઇને નિરીક્ષણ કરતા આજ સવારથી દરબારગઢ વિસ્તારમાં પણ કેટલાક રેંકડીધારકો અને શાક વેચતા લોકોએ રોડ દબાવતા ટ્રાફીકજામ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી, ત્યારબાદ અધિકારીઓે આ વિસ્તારને ચોખ્ખો કરાવ્યો હતો, એસ્ટેટ શાખાને સૂચના આપીને આ તમામ ટ્રાફીક કલીયર કરાવવા જણાવાયું હતું, એસ્ટેટના સુનિલ ભાનુશાળી તથા અન્ય અધિકારીઓએ આ મામલો હાથમાં લઇને તમામ રેંકડીધારકો અને પાથરણાવાળાઓને હટાવીને ખંભાળીયા બાયપાસ રોડ પાસે બેસવા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application