પોરબંદરના નાગકા-બખરલા થઇને ભાણવડ જતા રસ્તે વરસાદી પાણીનો નિકાલ નહી થતા રોડ ઉપરથી લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી રજૂઆત થઇ હતી.
પોરબંદરના ગ્રામ્યપંથકમાં અનેક જગ્યાએ પાણીના વહેણ સહિત રસ્તાઓ ઉપર દબાણ કરવામાં આવ્યા હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઇ શકતો નથી જેમાં પોરબંદરના બરડા પંથકના ગામડાઓ તરફ જવા માટે ઉપયોગી નાગકા... બખરલા રોડ પર કાટવાણા અને નાગકા વચ્ચે વરસાદી પાણી મુખ્ય રસ્તા ઉપર જ ભરાઇ જતા વાહનચાલકોને અવરજવરમાં પારાવાર પરેશાનીનો સામનો કરવો પડયો હતો. એટલું જ નહી પરંતુ આ વિસ્તારની વાડીઓમાં રહેતા લોકોને આવવા જવા માટે વરસાદી પાણીને લીધે સમસ્યા વધી છે માટે નજીકના વિસ્તારમાં પાણીના વહેણને રોકતા દબાણ થયા હોય તો તેને દૂર કરવા જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech