ઊંઘ પૂરી ન થવાની સમસ્યા હવે ભારતના લોકોને પણ વધુને વધુ અસર કરી રહી છે. લોકલ સર્કલ્સના તાજેતરના સર્વે અનુસાર, 59 ટકા ભારતીયોએ કહ્યું કે તેઓ છ કલાકથી ઓછી ઊંઘ લઈ રહ્યા છે. તેમાંથી અડધાએ એમ પણ કહ્યું કે તેઓ સપ્તાહના અંતે પણ તે ઊંઘ પૂરી કરવામાં નિષ્ફળ જાય છે. અભ્યાસ મુજબ, 38 ટકા ઊંઘથી વંચિત ભારતીયો સપ્તાહના અંતે અથવા રજાઓમાં પણ અધૂરી ઊંઘ પૂરી કરવા માટે સંઘર્ષ કરે છે.
ઊંઘના મહત્વને સમજાવવા માટે 15 માર્ચે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે. અભ્યાસોએ સાબિત કર્યું છે કે સારી ઊંઘ ન માત્ર માનવ સ્વાસ્થ્ય અને આયુષ્યમાં સુધારો કરે છે પરંતુ કાર્યકારી ઉત્પાદકતા તેમજ નિર્ણય લેવાની ક્ષમતામાં પણ સુધારો કરે છે. 2016ના એક લોકપ્રિય અભ્યાસનો અંદાજ છે કે ઊંઘની અછતને કારણે યુએસ અર્થતંત્રને 411 બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.
લોકલ સર્કલે ભારતના 348 જિલ્લાઓમાં 43,000 લોકોને આવરી લેતો સર્વે હાથ ધર્યો હતો. જેમાં ઉત્તરદાતાઓમાંથી 61 ટકા પુરૂષ અને 39 ટકા સ્ત્રીઓ હતી.અધૂરી ઊંઘની સમસ્યાથી પીડાતા લોકોમાં 72 ટકા લોકો વોશરૂમ જવા માટે વારંવાર જાગે છે. આ સિવાય ઉંમર, ઊંઘની પેટર્ન, ચયાપચય, મોડી રાત સુધી સ્ક્રીન પર સમય વિતાવવો, રાત્રિભોજનની આદતો અને આલ્કોહોલનું સેવન ઊંઘમાં ખલેલ પહોંચાડવાના સૌથી મોટા કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ઊંઘના અભાવને કારણે થતા નુકસાનમાં ઓફિસમાં ગેરહાજરીમાં વધારો, કામ અથવા શાળામાં ઉત્પાદકતામાં ઘટાડો, ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માતોનું જોખમ વધવું, નિર્ણયો પર નકારાત્મક અસરનો સમાવેશ થાય છે. લાંબા ગાળાની ઊંઘમાં ખલેલ કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, વજનમાં વધારો અને ટાઈપ 2 ડાયાબિટીસ સહિત મેટાબોલિક વિકૃતિઓ તરફ દોરી શકે છે.
સ્લીપ ટુરીઝમ: 400 બિલિયન ડોલર માર્કેટ...
અધૂરી ઊંઘની સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્લીપ ટુરિઝમ માર્કેટ હવે વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યું છે, જે 2023 અને 2028 વચ્ચે લગભગ 8 ટકાના દરે વધીને 400 બિલિયન ડોલર સુધી પહોંચશે. વધુ ને વધુ હોટલો મહેમાનોને આરામ માટેની શ્રેષ્ઠ સુવિધાઓ અને નિષ્ણાંત સહાયતા પ્રદાન કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech