પોરબંદરમાં ઇદના તહેવાર અનુસંધાને પોલીસ દ્વારા યોજાઇ શાંતિ સમિતિની બેઠક

  • June 06, 2025 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ઇદના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની બેઠક અને પોલીસ દ્વારા પેટ્રોલીંગ યોજાયુ હતુ.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ આગામી ઇદના તહેવાર સબબ પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને નાગરિકો શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે અંગે સૂચના આપેલ હોય, જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની અધ્યક્ષતામાં  ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવેલ જેમાં હિન્દુ, મુસ્લીમ આગેવાનો તથા યુવાનો હાજર રહેલ અને બન્ને સમુદાયના આગેવાનોને આગામી તહેવાર દરમ્યાન કોમી એકતા જળવાય રહે અને કોઇ સુલેહ શાંતિનો ભંગ ન થાય અને ભાઇચારાથી તહેવારની ઉજવણી કરવા સમજ કરવામાં આવેલ. તેમજ બકરી ઇદના તહેવાર સબબ ગ્રામ્ય ડીવીઝનના અધિકારી, કર્મચારીઓ દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન તથા બગવદર સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ તથા ફલેગમાર્ચ કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application