મોરબી ઝૂલતો પુલ કેસમાં ચાર્જ ફ્રેમ માટે માર્ગ મોકળો

  • September 21, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


30 ઓક્ટોબર 2022ના દિવસે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે કેસમાં અનેક વણાંક આવતા રહે છે જેમાં આજે વધુ એક વણાંક જોવા મળ્યો છે વિકટીમ એસો દ્વારા કોર્ટમાં ત્રણ અરજી કરવામાં આવી હતી જે ત્રણેય અરજી મોરબી કોર્ટે નામંજૂર કરી છે જેથી હવે કોઈ નવી અરજી ના થાય તો ચાર્જ ફ્રેમ માટેનો માર્ગ મોકળો થયો હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું
ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપ્ના એમડી જયસુખ પટેલ સહીત કુલ 10 આરોપીને ઝડપી લીધા હતા હાઈ પ્રોફાઈલ કેસમાં ઓરેવા ગ્રુપ્ના એમડી જયસુખભાઈ જાન્યુઆરી 2023માં સામેથી હાજર થયા બાદ તેમની ધરપકડ કરી અંદાજે સવા વર્ષ સુધી તેઓ જેલમાં બંધ રહ્યા બાદ તેઓ માર્ચ 2024માં જામીનમુક્ત થયા છે બીજી તરફ દુર્ઘટનાના પીડિત પરિવારોએ વિકટીમ એસો મોરબીની રચના કરી છે જે એસોસીએશનના નેજા હેઠળ કોર્ટમાં ત્રણ અરજી પીડિત પરિવારોએ વકીલ મારફત કરી હતી જેમાં ઘટનામાં 302 ની કલમનો ઉમેરો કરવો, ઓરેવા ગ્રુપને આરોપી બનાવવા અને કંપ્નીએ જે ડોક્યુમેન્ટ રજુ કયર્િ છે તે ફ્રોડ છે તેવી ત્રણ અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જે ત્રણેય અરજીની સુનાવણી કરતા મોરબી કોર્ટે ત્રણેય અરજીઓ નામંજૂર કરી છે
જે મામલે જીલ્લ ા સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું કે વિકટીમ એસો દ્વારા 302 ની કલમ ઉમેરવા, ઓરેવા કંપ્નીને આરોપી બનાવવા અને કંપ્નીએ રજુ કરેલ ડોક્યુમેન્ટ ફ્રોડ છે તે ત્રણેય અરજીઓ કોર્ટે નામંજૂર કરી છે ત્રણેય અરજી નામંજૂર કરવામાં આવી છે જેથી હવે વિકટીમ પરિવાર કોઈ નવી અરજી ના કરે તો ચાર્જ ફ્રેમ માટેનો માર્ગ મોકલો થયો છે આગામી તા. 01 ની મુદત પડી છે જેમાં વધુ સુનાવણી થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application