બગસરા એસટી ડેપોમાં ૫ંખા વગર ગરમીમાં શેકાતા મુસાફરો

  • May 28, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં જ્યારી નવા એસટી ડેપોનું નિર્માણ યું છે ત્યારી લઇને બાંધકામી લઇને લાઈટવાળા બોર્ડ, યુરીનલમાં ગંદકી અને હવે તો પંખા પણ કાઢી નાખવામાં આવેલ છે ત્યારે પેસેન્જરોને ડેપોમાં બેસવુ પણ મુશ્કેલ બન્યુ છેે. એક તરફ માું ફાડી નાખી તેવી દુગઁધ તો બીજી તરફ અસહ્ય ગરમીના લીધે ત્રાહિમામ પોકારી ઉઠતા લોકો જે લોકોને બસની રાહ જોઈને ડેપોમાં બેસવુ પડતું હોય છે એવામાં આવા ભયંકર તાપમાં મુસાફરો ગરમીમાં શેકાઇ રહ્યા છે. આ ડેપોમાં ૧૨ પંખા લગવડવામાં આવેલ હતા. જે પૈકી ફક્ત એક જ પંખો ચાલુ છે બાકી તો ત્રણ પંખા ફક્ત શોભાના ગઠીયા સમાન અને અન્ય આઠ પંખા તો છેલ્લ ા ઘણા સમયી ઉતારી લેવામાં આવેલ છેે. આ પંખા શા માટે ઉતર્યા તેવું પુછતા તેવા જવાબ મળે છે કે હાલમાં આ પંખા રીપેરીંગમાં મોકલેલ છેે. જ્યારે લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે કે એક વર્ષી રીપેરીંગ એ તો કેવું વળી રીપેરીંગ જેને રિપેર કરતા એક વર્ષ જેટલો સમય લાગે આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે. બગસરાના આ ડેપોમાં ખાસુ એવું ટ્રાફીક રહેતું હોય છે ત્યારે અહીંયા આવતા મુસાફરો હાલમાં પડી રહેલ અસહ્ય ગરમીમાં હાલ બેહાલ ઇ જાય છેે. ત્યારે પેસેન્જરોમાં માંગ ઉઠી છે કે તત્કાલ આ પંખા લગાડવામાં આવે અને જે પંખા બંધ છે તેને પણ તાકિદે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application