રાજય વિધાનસભા ગૃહમાં પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ એવો પ્રસ્તાવ રજૂ ર્યેા હતો કે, સંસદે પસાર કરેલા પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા અધિનિયમ–૨૦૨૪ (સન ૨૦૨૪નો ક્રમાંક : ૫)ના સ્વીકારવા માટે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં કરાયેલા આ સુધારાનો હેતુ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ–૧૯૭૪ (સન ૧૯૭૪ ના છઠ્ઠા)ની જોગવાઇઓને બિન–ગુનાહીત કરવાનો છે. જેથી કરીને રાયમાં કામકાજ સરળ બની રહે.
મંત્રીએ કહ્યું હતું કે, હવે–જો, પાણી અધિનિયમનની કોઇ જોગવાઇઓનું ઉલ્લ ંઘન થશે તો, આ નવા સુધારેલા કાયદાની નવી જોગવાઈઓ મુજબ . ૧૦ હજારથી . ૧૫ લાખ સુધીના દંડની રકમ નિર્ધારિત કરવામા આવ્યો છે. જો કોઈ, વ્યકિત, ઉલ્લ ંઘન અથવા પાલન ન કરે, યાં સુધી આ પ્રકારનું ઉલ્લ ંઘન ચાલુ રહે ત્યાં સુધી દરરોજ . ૧૦ હજારનો વધારાનો દડં પણ નિર્ધારિત કરાયો છે.
રાય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અધ્યક્ષની નામનિયુકિતની પ્રક્રિયા સરળ બને. ગુજરાત વિધાનસભા ગૃહને આ સત્તા ભારતના સંવિધાનના અનુચ્છેદ૨૫૨થી મળેલી છે. તેના આધારે આ પ્રસ્તાવ પસાર કરાયો છે.હવે યારે ગુજરાત વિધાનસભામાં આ પ્રસ્તાવ સ્વીકારાયો છે ત્યારે તેની અસરો મુજબ, હવેથી કેન્દ્ર સરકાર દ્રારા નિર્ધારિત થનારી માર્ગદર્શિકા અનુસાર ગુજરાત સરકાર દ્રારા રાય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિયુકિત કરાશે. તેમની સેવાના નિયમો અને શરતો પણ કેન્દ્ર સરકાર દ્રારા
માર્ગદર્શિકામાં જ નિર્ધારિત કરાશે. કેન્દ્ર સરકાર જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે પરામર્શ કરીને, સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન દ્રારા, ઔધોગિક પ્લાન્ટસની અમુક શ્રેણીઓને કન્સેન્ટ મેળવવાની જોગવાઈઓમાંથી મુકિત આપી શકે છે તથા કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બોર્ડ સાથે પરામર્શ કરીને, કન્સેન્ટ અરજીના સમયબદ્ધ નિકાલ અથવા માન્યતાના સમયગાળા સહિત કોઈપણ ઉધોગની સ્થાપના માટે કોઈપણ રાય બોર્ડ દ્રારા સંમતિ આપવા, ઇનકાર અથવા રદ કરવા સંબંધિત બાબતો પર માર્ગદર્શિકા જારી કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech