આનંદનગરમાં જર્જરીત દીવાલનો હિસ્સો ધરાશાયી

  • September 30, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેર અને જિલ્લામાં ગત સપ્તાહ દરમ્યાન પડેલા વરસાદના પગલે જર્જરીત ઇમારતો ટક્કર નહીં આપી શકવાથી ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી એક જર્જરીત ઇમારતની દુકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો દરમ્યાન સપ્તાહના અંતે સતત પડેલા વરસાદથી શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી દિપ સોસાયટીના એક એપાર્ટમેન્ટની જર્જરીત દીવાલનો એક હિસ્સો ધડાકાભેર ધરાશાયી થયો હતો. દીવાલ ધરાશાયી થયાની જાણ થતા ફાયરનો કાફલો દોડી ગયો હતો. દીવાલ ધરાશાયી થવાના બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application