પેડુમાં દુ:ખાવો થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ પરણિતાનું મોત

  • August 20, 2024 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણિતાને પ્રથમ તળાજાની હોસ્પિટલમાં લઈ જવાતા તેણીને ચાર માસનો ગર્ભ હોવાનું ખુલતા  ભાવનગર ખસેડાઈ હતી : મોતનું સાચું કારણ જાણવા પરિવારજનોએ મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું 
તળાજા તાલુકાના તરસરા ગામે રહેતી પરણિતાને ગઈ તા. ૧૭મી ના રોજ અચાનક પેડુમાં દુ:ખાવો થતા પ્રથમ તળાજાની હોસ્પિટલમાં લવાતા ફરજ પરના તબીબ દ્વારા પરણિતાને ચાર માસનો ગર્ભ હોવાનું નિદાન કરી વધુ સારવારની જરૂર હોય ભાવનગર ખસેડવા જણાવ્યા બાદ તેણીને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નીપજતા તેના પરિવારજનો એ મોતનું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જ્યારે આ અંગે હાલ તળાજા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે.
ઉપલબ્ધ વિગતો મુજબ તળાજા તાલુકાના તરસરા ગામે રહેતી જ્યોત્સના બેન નિલેશભાઈ ધાંધલીયા  (ઉ. વ. ૩૬)ને અચાનક પેડુમાં દુ:ખાવો ઉપડતા તેને તળાજાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં આગળ તેને ચાર માસનો ગર્ભ હોવાનું તબીબે નિદાન કરી વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાનું જણાવતા પરિવારજનોએ જ્યોત્સનાબેનને ભાવનગરની સદ્દવિચાર હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજતા મૃતક પરણિતાના પરિવારજનોએ જ્યોત્સનાબેનનું મોત તબીબી બેદરકારીથી થયું હોવાની આશંકા સાથે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે આ ઘટના અંગે તળાજા પોલીસે હાલ મૃતક પરણિતાના પતિ નિલેશભાઈ પોપટભાઈનું  નિવેદન લઈ અકસ્માતે મોતનો ગુનો નોંધી હે. કો. મેરએ તપાસ હાથ ધરી છે. તો પેડુમાં દુ:ખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી પરણિતાનું સારવાર દરમ્યાન મોત નીપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application