દેણું થઇ જતા પારલેના સેલ્સમેન મિહિરભાઈ શુકલાનો આપઘાત

  • January 30, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આપઘાતના બનાવ નિત્યક્રમ થઈ ગયા હોઈ તેમ આજે વધુ એક યુવાને સેલફોર્સના ટીકડા પી મોટ મીઠું કરી લેતા વિપ્ર પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. યુવકે ૮૦ ફટ રોડ પર આવેલા નટેશ્વર મહાદેવ મંદિર નજીક ઝેરી ટીકડા પી મોટાભાઈને ફોન કરી પોતે પગલુ ભરી લીધાની જાણ કરતા પરિવારજનો દોડી ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો.

બનાવની મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસેની બેકબોન રેસીડેન્સીમાં રહેતા અને પારલે કંપનીના સેલ્સમેન તરીકે નોકરી કરતા ૪૦ વર્ષીય મિહિરભાઈ કિશોરભાઈ શુકલાએ આજે સવારે સાડા દશેક વાગ્યાના અરસામાં ૮૦ ફટ રોડ પર નટેશ્વર મહાદેવ મંદિર સામે શેઠ હાઈસ્કૂલ નજીક સેલફોર્સના જીવલેણ ટીકડા પી લઇ મોટાભાઈ મલ્હારભાઈ શુકલાને ફોન કર્યેા હતો અને પોતે ઝેરી દવા પી લીધાનું કહેતા મોટાભાઈ સહિતના પરિવારજનો બનાવ સ્થળે દોડી ગયા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડા હતા યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.

મૃતક બેભાઈમાં નાના અને અપરણિત હતા અને પારલે કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા માથે દેણું થી જતા આર્થિકભીસથી કંટાળી પગલુંભરી લીધાનું પરિવારજનોને લાગી રહ્યું છે. વધુ તપાસ ભકિતનગર પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application