પરિણીતી ચોપરાએ ઇશારામાં સગાઇની અટકળોને મારી દીધી મ્હોર

  • March 29, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • એરપોર્ટ પર સ્પોટ થયેલી પરીએ સવાલના જવાબમાં આપ્યું મધુર રિએક્શન
  • આજકાલ બંને બહેનો પ્રિયંકા અને પરિણીતી ચોપરા છે હોટ ચર્ચામાં



આજકાલ બે પિતરાઇ બહેનો પ્રિયંકા અને પરિણીતી ચોપરા ચર્ચાનો વિષય બની છે. એક બોલીવૂડને બદનામ કરવા માટે અને બીજી સગાઇના સમાચારોને લઇને. દેશી ગર્લમાંથી વિદેશી મેમ બન્યા બાદ પ્રિયંકા ચોપરાએ બોલીવૂડ છોડવા પાછળના કારણો જણાવવા માંડ્યા છે. ત્યારે નાની બહેન આપના નેતા સાથે રિલેશનશિપમાં બંધાઇ રહી છે. જેના માટેની અટકળો પર તેણે મ્હોર મારી દીધી.

 પરિણીતી ચોપરાના લગ્નને લઇને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે તેણે સગાઇના સમાચાર પર રિએક્શન આપ્યું છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યું છે.  મીડિયા રિપોર્ટ્સમાં તેની સગાઇને લઇને દાવા કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે પરિણીતી અને તેની ફેમીલી લગ્નની તૈયારી કરી રહ્યાં છે.

તેવામાં આ દાવાઓ વચ્ચે હાલમાં જ ફાઇનલી પરીએ આ સમાચારો પર રિએક્શન આપ્યું છે. પરીને પાપારાઝીએ એરપોર્ટ પર સ્પોટ કરી અને તેને જોતા જ લગ્નના સમાચારો વિશે સવાલ પૂછવા લાગ્યાં. પરીએ આ સવાલો પર શરમાઇને કંઇક એવું કર્યુ કે સૌને પોતાના સવાલનો જવાબ મળી ગયો.

હાલમાં જ સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પરિણીતી ચોપરાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. તેણે બ્લેક પેન્ટ સૂટ પહેર્યો છે અને તેની સાથે વ્હાઇટ હાઈનેક ટોપ છે.

એરપોર્ટથી કારમાં જતી વખતે પાપારાઝીઓએ પરીને ઘેરી લીધી અને તેની સગાઈના સમાચાર અંગે સવાલ પૂછવા લાગ્યા. આ સવાલ સાંભળીને પરીના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે શરમાઈને માથું નમાવ્યું. વિડિયોમાં પરી કંઈ ન બોલી પણ હસતી અને શરમાતી કારમાં બેસી ગઈ. 

આ વીડિયોમાં પરીનું રિએક્શન જોઈને પાપારાઝી પણ કહેતા જોવા મળ્યા હતા કે અમને જવાબ મળી ગયો છે. આ વીડિયો પર મળેલી કોમેન્ટને જોઈને ઘણા લોકો કહે છે કે પરીની સ્માઈલ સગાઈના સમાચારને કન્ફર્મ કરી રહી છે. પરીનું નામ એક રાજનેતા રાઘવ ચઢ્ઢા સાથે જોડાઈ રહ્યું છે. જો કે, અત્યાર સુધી બંનેએ ડેટિંગ અથવા સગાઈના સમાચાર પર કોઈ પુષ્ટિ આપી નથી. પરીના ફેન્સને આશા છે કે એક્ટ્રેસ જલ્દી જ તેના લગ્નની જાહેરાત કરશે.

આ પહેલા પણ અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પરિણીતી અને રાઘવના પરિવાર વચ્ચે લગ્નની ચર્ચા ચાલી રહી છે. આટલું જ નહીં, પરિણીતી અને રાઘવ રોકા સેરેમની દ્વારા તેમના સંબંધોની પુષ્ટિ કરી શકે છે. પરિણીતી તાજેતરમાં જ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પણ જોવા મળી હતી. આ કારણે પરિણીતી અને રાઘવના લગ્નની ચર્ચા પણ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application