BREAKING NEWS

પાક. સામે લાંબા યુદ્ધ માટે તૈયાર હતાઃ ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ રાજનાથ સિંહનો ખુલાસો

  • April 30, 2026 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જણાવ્યું હતું કે ભારતે પોતાની શરતો પર ઓપરેશન સિંદૂર સ્વેચ્છાએ બંધ કરી દીધું છે અને જો જરૂર પડે તો પાકિસ્તાન સામે લાંબા યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિટ ૨.૦ માં બોલતા, તેમણે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું અને કહ્યું કે આતંકવાદના મૂળને સંપૂર્ણપણે નાબૂદ કરવું જરૂરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતુત્વની પ્રશંસા કરી અને કહ્યું કે સરકારની
શૂન્ય-સહિષ્ણુતા નીતિ હેઠળ, કોઈપણ સંજોગોમાં આતંકવાદને સહન કરવામાં આવશે નહીં.થઅઉસંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાન પર સતત આતંકવાદને ટેકો આપવાનો સીધો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સમયે ભારત અને પાકિસ્તાન એકસાથે સ્વતંત્ર થયા હતા, પરંતુ આજે ભારત માહિતી ટેકનોલોજી માટે જાણીતું છે, જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર બની ગયું છે. રક્ષા પ્રધાને જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર
શરૂ કરવામાં આવ્યું હતું અને તે એક મુખ્ય વળાંક સાબિત થયું. તેણે વિશ્વને સંદેશ આપ્યો કે ભારત હવે ફક્ત નિવદનો સુધી મર્યાદિત રહેશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ફક્ત તે જ સ્થળોને નિશાન બનાવ્યા હતા જ્યાંથી હુમલા દરમિયાન આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી. રાજનાથ સિંહે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન એટલા માટે બંધ કરવામાં આવ્યું નથી કારણ કે ભારત નબળું પડી ગયું હતું, પરંતુ આ નિર્ણય સંપૂર્ણપણે સ્વેચ્છાએ અને પોતાની શરતો પર લેવામાં આવ્યો હતો.સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ ફક્ત રાષ્ટ્રવિરોધી કૃત્ય નવી, પરંતુ તેના ત્રણ પરિમાણો છે: કાર્યકારી, વૈચારિક અને રાજકીય આતંકવાદની સાચી તાકાત તેના વૈચારિક અને રાજકીય મૂળમાં રહેલી છે. તેમણે તેને રાવણની નાભિ સાથે સરખાવી, સમજાવ્યું કે જ્યાં સુધી આ નાભિ, એટલે કે, વૈચારિક અને રાજકીય રક્ષણ, નષ્ટ ન વાય ત્યાં સુધી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થશે નહીં તેથી, ફક્ત લશ્કરી સ્તરે જ નહીં, પરંતુ ત્રણેય પરિમાણીમાં આતંકવાદનો સામનો કરવી જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application