ભારત પાકિસ્તાનની નિંદા કરે છે: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હુમલા પર, ભારતે કહ્યું, "અમે મહિલાઓ અને બાળકો સહિત અફઘાન નાગરિકો પર હવાઈ હુમલાના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે."
ભારતે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરી, કહે છે કે પોતાની નિષ્ફળતા માટે પડોશીઓને દોષી ઠેરવવાની જૂની પ્રથા છે ,નાચ ન જાણે આંગન તેડા ! અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હવાઈ હુમલાથી ગુસ્સે ભરાયેલા ભારતે શાહબાઝ સરકારને સંભળાવ્યું.
ભારતે પાકિસ્તાનના અફઘાનીસ્તાન પર કરેલા હવાઈ હુમલાની નિંદા કરી છે. આ હુમલાને લઈને ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક ભાષાનો ઉપયોગ કર્યો છે અને કહ્યું છે કે પાકિસ્તાનને પોતાની ભૂલો પડોશી દેશો પર ઢોળવાની જૂની આદત છે.
ભારતે કહ્યું, "અમે મહિલાઓ અને બાળકો સહિત અફઘાન નાગરિકો પર હવાઈ હુમલાના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે, જેના પરિણામે ઘણા અમૂલ્ય જીવો ગુમાવ્યા છે. અમે નિર્દોષ નાગરિકો પરના કોઈપણ હુમલાની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ."
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે પાડોશીઓ પર દોષારોપણ કરવાની પાકિસ્તાનની જૂની આદત છે. અમે આ અંગે અફઘાન પ્રવક્તાની પ્રતિક્રિયા પણ નોંધી છે."
હુમલો ક્યારે થયો?
ડિસેમ્બરમાં તાલિબાને દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 46 લોકો માર્યા ગયા હતા. અફઘાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં ચાર સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા મોટાભાગના લોકો વઝીરિસ્તાનના શરણાર્થી શિબિરોના હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ત્યારે તાલિબાન સરકારે કહ્યું હતું કે અફઘાનિસ્તાન આ હુમલાની નિંદા કરે છે અને તેને સ્પષ્ટ હુમલો અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની વિરુદ્ધ માને છે. પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે આવી કાર્યવાહી સમસ્યાનો ઉકેલ નથી.” અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે અફઘાનિસ્તાન પોતાની ધરતીની રક્ષાને પોતાનો અધિકાર માને છે અને આ કાયરતાપૂર્ણ કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech