પાકિસ્તાન રઘવાયું થયું, સરહદ પર ફરી ભારે ફાયરીંગ

  • May 08, 2025 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાની સેના ગભરાટમાં છે. ૭-૮ મેની રાત્રે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા ભારે ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યો. પાકિસ્તાની સેનાએ હળવા હથિયારો અને ફાયરીંગથી કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરમાં ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા. જો કે પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો.


પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેના સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે, પરંતુ ગઈકાલે ભારતીય વાયુસેના દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યા પછી, પાકિસ્તાની સેના ગભરાઈ ગઈ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિ પછી, પાકિસ્તાને કર્નાહ ક્ષેત્રમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ગોળા અને મોર્ટાર છોડ્યા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના આ વિસ્તારોમાં સૈન્ય ચોકીઓ અને રહેણાંક લોકોને નિશાન બનાવ્યા. આ નાપાક કૃત્યનો સેનાએ પણ જોરદાર જવાબ આપ્યો.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સેનાએ ગોળીબાર વધુ ઝડપી બનાવ્યો હતો. ભારતીય હુમલા પછી તરત જ, પૂંછના કૃષ્ણા ઘાટી, શાહપુર અને માનકોટ, જમ્મુ ક્ષેત્રના રાજૌરી જિલ્લાના લામ, માંજાકોટ અને કુપવાડા જિલ્લાના કર્ણાહ વિસ્તારમાંથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application