પાકિસ્તાન ભલે તેના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અરશદ નદીમને રોકડ પુરસ્કારો અને અન્ય મૂલ્યવાન ઈનામોથી સન્માનિત કરી રહ્યું હોય, પરંતુ તેના સસરાએ આપેલી ભેટની ચર્ચા થઈ રહી છે. અરશદ નદીમના સસરા તેને ભેંસ ભેટમાં આપી રહ્યા છે. આવી ભેટો ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાનો એક ભાગ છે.
એજન્સી અનુસાર, રવિવારે ગામમાં સ્થાનિક મીડિયા સાથે વાત કરતા અરશદ નદીમના સસરા મુહમ્મદ નવાઝે કહ્યું કે તેમના ગામમાં ભેંસ ભેટમાં આપવી એ 'ખૂબ જ મૂલ્યવાન' અને 'સમ્માનજનક' માનવામાં આવે છે.
અરશદે પેરિસમાં જેવલિન થ્રો સ્પર્ધામાં 92.97 મીટર ભાલા ફેંકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી ભારત તરફથી રમતા નીરજ ચોપરા બીજા સ્થાને પહોંચી ગયો.
અરશદની સફર મુશ્કેલીઓથી ભરેલી રહી છે
મુહમ્મદ નવાઝે કહ્યું, "નદીમને તેના મૂળ પર ખૂબ ગર્વ છે અને તેની સફળતા હોવા છતાં, તેનું ઘર હજુ પણ તેનું ગામ છે અને તે હજી પણ તેના માતાપિતા અને ભાઈઓ સાથે રહે છે." અરશદના સસરાએ કહ્યું કે તેને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે અને તેની સૌથી નાની પુત્રી આયેશાના લગ્ન નદીમ સાથે થયા છે. નવાઝે એ પણ ખુલાસો કર્યો કે દંપતી (અરશદ-આયેશા)ને બે પુત્રો અને એક પુત્રી છે.
પંજાબના ખાનવાલના ગ્રામીણ વિસ્તારના રહેવાસી અરશદ નદીમ પાસે તાલીમ અને સ્પર્ધાઓ માટે વિદેશ જવા માટે ખૂબ જ મર્યાદિત સંસાધનો હતા. તેના ગામના સાથીઓ અને સંબંધીઓએ પૈસા ફંડમાં આપ્યા, જેથી તે વિદેશમાં જઈ શકે અને શરૂઆતના દિવસોમાં સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે.
'જ્યારે અરશદના લગ્ન થયા...'
નવાઝ કહે છે કે જ્યારે અમે અમારી દીકરીના લગ્ન 6 વર્ષ પહેલા અરશદ સાથે કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે તે નાની-નાની નોકરીઓ કરતો હતો પરંતુ તેને રમત પ્રત્યે ઘણો જ શોખ હતો અને તે ઘર અને ખેતરોમાં સતત ભાલા ફેંકવાની પ્રેક્ટિસ કરતો હતો. નવાઝે કહ્યું કે તે નદીમની સફળતા અને પ્રસિદ્ધિથી ખૂબ જ ખુશ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech