પાકિસ્તાને મંગળવારે મોડીરાત્રે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કરીને પાકિસ્તાની તાલિબાનના શંકાસ્પદ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાન સરહદે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના પહાડી વિસ્તારોમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે.
ન્યૂઝ એજન્સી એપીએ પાકિસ્તાની અધિકારીઓને ટાંકીને કહ્યું કે, હુમલામાં પાકિસ્તાની તાલિબાન એટલે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નું ટ્રેનિંગ સેન્ટર નષ્ટ થઈ ગયું છે. અધિકારીઓએ ઘણા આતંકવાદીઓના મોતનો દાવો કર્યો છે. જો કે, એ સ્પષ્ટ નથી થયું કે, પાકિસ્તાની વિમાનો અફઘાનિસ્તાનમાં ક્યાં સુધી ઘૂસી ગયા અને તેમણે કેવી રીતે હુમલા કર્યા. માર્ચ પછી બીજી વખત પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે.
અફઘાનિસ્તાનના 7 ગામને નિશાન બનાવાયા
સ્થાનિક પ્રેસના અહેવાલ મુજબ 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હવાઈ હુમલામાં લમાન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા છે. સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે આ હવાઈ હુમલા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. અહેવાલો દર્શાવે છે કે બરમાલનું મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે, હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
બદલો લઈશુંઃ અફઘાનિસ્તા
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાની હવાઈ હુમલાની નિંદા કરી છે. બોમ્બ વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાને તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રાલયે લખ્યું છે કે, આવા એક પક્ષીય પગલાં કોઈ સમસ્યાનો ઉકેલ નથી. અફઘાનિસ્તાને કહ્યું કે તે હવાઈ હુમલાનો જવાબ આપશે. મંત્રાલયે લખ્યું, માતૃભૂમિની રક્ષા કરવી એ અમારો અધિકાર છે, અમે ચોક્કસપણે આ કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ આપીશું.
ટીટીપીએ 2022થી પાકિસ્તાન પર હુમલા તેજ કર્યા છે
પાકિસ્તાન વારંવાર આરોપ લગાવે છે કે પાકિસ્તાની તાલિબાન અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ તેના પર આતંકવાદી હુમલા કરવા માટે કરે છે. જો કે અફઘાનિસ્તાન પાકિસ્તાનના આ આરોપોને ફગાવી રહ્યું છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી સાથે પાકિસ્તાની તાલિબાન (TTP) મજબૂત બન્યું છે. ટીટીપીએ નવેમ્બર 2022માં એક પક્ષીય રીતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો. આ પછી તેણે પાકિસ્તાન પર હુમલા તેજ કર્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં TTPએ પાકિસ્તાનના ઘણા સૈનિકો અને પોલીસકર્મીઓની હત્યા કરી છે.
પાકિસ્તાને મૌન જાળવી રાખ્યું
પાકિસ્તાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી, પરંતુ સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું હતું કે, આ હવાઈ હુમલા સરહદ નજીક તાલિબાન સ્થાનોને ટારગેટ પર રાખીને કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હવાઈ હુમલો થયો છે. પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech