પીઓકેમાં વધારાના ૧૪,૦૦૦ સુરક્ષા કર્મી ખડકવાની પાકની યોજના
પીઓકેમાં વધારાના ૧૪,૦૦૦ સુરક્ષા કર્મી ખડકવાની પાકની યોજના
June 06, 2026 01:56 PM
પાકિસ્તાન પીઓકેમાં હજારો સૈનિકો તેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સમાચારથી સ્થાનિકો અને દુનિયામાં ચિંતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકો આ એક ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો આરોપ લગાવી રહ્યા છે.શાંતિ અને સુરક્ષા જાળવવાના બહાના હેઠળ અત્યંત સંવેદનશીલ એવા વિસ્તારમાં હજારો સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક તેનાત કરવાનો પરિપત્ર કરાતા આ બાબતની નોંધ આખી દુનિયાએ લીધી છે. પાકિસ્તાન પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ૧૪,૦૦૦ વધારાના સુરક્ષા કર્મચારીઓ તેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આનાથી રહેવાસીઓમાં ચિંતા વધી છે. માનવાધિકાર કાર્યકર્તા અને રાજકીય વિવેચક અમજદ અયુબ મિર્ઝાએ પાકિસ્તાન પર ઇરાદાપૂર્વકના ષડયંત્રના ભાગ રૂપે આ પ્રદેશનું લશ્કરીકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. તાજે તરમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા સ્થાનિક વહીવટના મુખ્ય સચિવને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના બહાના હેઠળ આ વિસ્તારમાં હજારો સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક તેનાત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પગલાની નિંદા કરતા, મિર્ઝાએ કહ્યું કે તે પીઓકે માં પાકિસ્તાની વહીવટીતંત્રની બેવડી અને વસાહતી માનસિકતા છતી કરે છે. તેમણે દલીલ કરી હતી કે પ્રસ્તાવિત તેનાત પીઓકેના વડા પ્રધાન દ્વારા આપવામાં આવેલા અગાઉના વચનોનો વિરોધાભાસ કરે છે, જેમણે અગાઉ કહ્યું હતું કે શાંતિપૂર્ણ જાહેર પ્રદર્શનોનો સામનો કરવા માટે બળ અથવા બળજબરીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જયારે આવી તૈયારી ગુપચુપ કરાતા વિશ્વએ આ બાબતની નોંધ લેવી પડી રહી છે.