પદ્મિનીબાનો અચાનક ભાજપ તરફી યુ-ટર્ન: ક્ષત્રિય સમાજમાં ભારે ચર્ચા

  • April 30, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે છેલ્લા થોડા સમયથી રાજકારણ અને જાહેર જીવનમાં વધુ લાઈમલાઈટમાં આવેલા પદ્મિનીબા વાળાએ તેમના અત્યાર સુધીના સ્ટેન્ડથી વિપરીત નવું જ સ્ટેન્ડ લીધું છે અને આજે ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષની વાતચીતમાં ક્ષત્રિય સમાજના આંદોલન બાબતે તેમની અત્યાર સુધીની વિચારધારાથી વિપરીત વિધાનો કરીને યુ ટર્ન લેતા ક્ષત્રિય સમાજમાં અને રાજકારણમાં તેની ભારે ચચર્િ થઈ રહી છે.
ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથેની વાતચીતમાં પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે ભાજપ્ના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની નારીઓના સન્માનને ઠેસ પહોંચે તેવું નિવેદન આપ્યું હતું તે બદલ તેમણે ત્રણેક વખત માફી માગી છે. પરંતુ રાહુલ ગાંધીએ રાજા રજવાડા સામે કરેલા નિવેદન બદલ તેમની માફીની માગણી શા માટે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ કરતી નથી?

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ રાજકીય હાથો બની ગઈ છે અને સમિતિના ચાર પાંચ સભ્યો પોતાના રાજકીય રોટલા શેકવા માટે કામ કરે છે તેવો ચોકાવનારો આક્ષેપ કરતા પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે જો આપણે રાહુલ ગાંધીની માફી ન મંગાવી શકતા હોય તો કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી કોઈને મત આપવો ન જોઈએ. અત્યારે જે લડાઈ ચાલે છે તે બહેનો દીકરીઓ માટેની લડાઈ નથી. આ તો રાજકીય રોટલા શેકવા માટેની વાતો છે.
રૂપાલા સામેનો વ્યક્તિગત વિરોધ શા માટે ભાજપ્નો વિરોધ બની ગયો છે ? તેવો સવાલ ઉઠાવી પદ્મિનીબાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદુત્વને વધુ મજબૂત બનાવ્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજે ગુમરાહ ન થવું જોઈએ. હું બીજેપીમાં હોવા છતાં રૂપાલાના વિરોધમાં હતી. પરંતુ અત્યારે તો સંકલન સમિતિના ચાર પાંચ સભ્યો રાજકીય રોટલા શેકવા માટે કામ કરે છે. તેમણે શરમ કરવી જોઈએ. સમાજના 20 ટકા જેટલા લોકો એવો પણ સવાલ ઉઠાવે છે કે જે સારું કામ કરે છે તેને શા માટે સાઇડ લાઇન કરી દેવામાં આવે છે. ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application