જામનગરના આંગણે પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયની પધરામણી

  • July 25, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના આંગણે તા. ર૭ અને તા. ર૮ એમ બે દિવસ માટે શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ પધરામણી થશે.


જેમાં તા. ર૭-૭ ના રાત્રે ૮ થી ૯-૩૦ વચનામૃત અને ગ્રુપ મિટીંગ અને રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦ હરિનામ સંકીર્તન અને શ્રીકૃષ્ણ ધ્યાનનો કાર્યક્રમ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ નાં  અંતે અલ્પઆહારની વ્યવસ્થા કરવામાં આવી છે.


તા. ર૮-૭ના સવારે ૭-૩૦ થી ૮ પૂજ્ય શ્રી ના સ્વમુખેથી હરિનામ સંકીર્તન, સવારે ૯ વાગ્યે પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસંબંધની દિક્ષા આપવામાં આવશે. પૂજયશ્રીનું મુકામ સ્થળ સુરેશભાઈ પટેલ ગૃહે શિવમ-૧ રઘુવીર સોસાયટી, જનતા ફાટક પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. રાત્રે ૮ થી ૯-૩૦ વચનામૃત અને ગ્રુપ મિટિંગ, રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦ હરિનામ સંકીર્તન અને શ્રી કૃષ્ણ ધ્યાનનો કાર્યક્રમ સરદાર પાર્ક-ર, શેરી નં.૧ રણજીતસાગર રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. બ્રહ્મસંબંધ, ઠાકુરજી પુષ્ટ અને પૂજયશ્રીની પધરામણી માટે મો. ૭૦૧૬૪ ર૪ર૬૦ મો. ૯૩ર૮૦ ૦ર૦૦૬નો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application