અગાઉ, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 15 જાન્યુઆરીએ નૌકાદળમાં ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ યુદ્ધ જહાજોનો સમાવેશ થવાથી સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાના ભારતના પ્રયાસોને મજબૂતી મળશે અને આત્મનિર્ભરતા તરફના પ્રયાસોમાં વધારો થશે.
આજે સવારે ભારે ધુમ્મસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી મુંબઈ જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી મોદી આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના ત્રણ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો આઇએનએસ સૂરત, આઇએનએસ નિલગિરી અને આઇએનએસ વાગશીર દેશને સમર્પિત કરશે. અગાઉ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 15 જાન્યુઆરીએ નૌકાદળમાં ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ યુદ્ધ જહાજોનો સમાવેશ થવાથી સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાના ભારતના પ્રયાસોને મજબૂતી મળશે અને આત્મનિર્ભરતા તરફના પ્રયાસોમાં વધારો થશે.
ત્રણ મુખ્ય નૌકાદળ યુદ્ધ જહાજોનું લોન્ચિંગ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના ભારતના વિઝનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
પી15બી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને છેલ્લું યુદ્ધ જહાજ, આઈએનએસ સૂરત વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજોમાંનું એક છે. તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે અને તે અત્યાધુનિક શસ્ત્ર-સેન્સર પેકેજ અને અદ્યતન નેટવર્ક અને કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે.
પી17એ સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પ્રથમ યુદ્ધ જહાજ આઇએનએસ નીલગિરી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેને ઉન્નત ક્ષમતા, લાંબી દરિયાઈ યોગ્યતા અને અદ્યતન સ્ટીલ્થ સુવિધાઓ સાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. તે સ્વદેશી ફ્રિગેટ્સની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. પી75 સ્કોર્પિન પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન આઇએનએલ વાગશીર સબમરીન નિર્માણમાં ભારતની વધતી જતી કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું નિર્માણ ફ્રાન્સના નેવલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે.
નેવલ ડોકયાર્ડ ખાતે બે યુદ્ધજહાજ અને એક સબમરીન દેશને સમર્પિત કર્યા પછી પીએમ મોદી શાસક મહાયુતિના ધારાસભ્યોને મળશે અને તેમને સુશાસનનો મંત્ર આપશે. જેમાં ભાજપ, શિવસેના અને એનસીપીના ધારાસભ્યો સામેલ હશે. આ પહેલીવાર છે જ્યારે પ્રધાનમંત્રી યુદ્ધ જહાજ આઇએનએસ આંગ્રે પર ધારાસભ્યોને મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech