પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ હરામ થઈ જશે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગૌતમ અદાણીનો પણ ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મુખ્યમંત્રી વિજયન પણ અહીં બેઠા છે, તેઓ ભારત ગઠબંધનના મજબૂત સ્તંભ છે. શશિ થરૂર બેઠા છે. આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી જશે. સંદેશ જ્યાં જતો હતો ત્યાં જ ગયો છે. તેમણે કહ્યું, આજે ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતિ છે. ત્રણ વર્ષ પહેલાં સપ્ટેમ્બરમાં, મને તેમના જન્મસ્થળ ક્ષેત્રમની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું હતું. આદિ શંકરાચાર્યએ કેરળ છોડીને દેશના વિવિધ ખૂણામાં મઠો સ્થાપીને રાષ્ટ્રની ચેતના જાગૃત કરી હતી. હું તેમને સલામ કરું છું."
પીએમ મોદીએ ગૌતમ અદાણીનો પણ ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર પણ કટાક્ષ કર્યો. ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "ગૌતમ અદાણી પણ અહીં હાજર હતા. અદાણીએ ગુજરાતમાં બનેલા બંદર કરતાં અહીં વધુ સારું બંદર બનાવ્યું છે.
વિઝિંજામ બંદર ૮૮૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે
વિઝિંજામ બંદર આશરે 8,800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં તેની ટ્રાન્સશિપમેન્ટ હબ ક્ષમતા ત્રણ ગણી થશે. તેને મોટા માલવાહક જહાજોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું, "અત્યારસુધી, ભારતની 75% ટ્રાન્સશિપમેન્ટ પ્રવૃત્તિઓ વિદેશી બંદરો પર થતી હતી, જેના પરિણામે દેશને ભારે આવકનું નુકસાન થયું હતું. જોકે, હવે આ પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. અગાઉ વિદેશમાં ખર્ચવામાં આવતા નાણાં હવે સ્થાનિક વિકાસમાં રોકાણ કરવામાં આવશે, જેનાથી વિઝિંજામ અને કેરળના લોકો માટે નવી આર્થિક તકો ઊભી થશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech