વૃંદાવન ખાતે ૩૦મેના શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ પ્રારંભ થશે : યમુનાજીને બે ભવ્ય ચુંદડી મનોરથ યોજાશે
ઓખા લોહાણા મહાજન દ્વારા આવતીકાલે વૃંદાવન યાત્રા પ્રવાસનું આયોજન કરાયું છે. વૃંદ્રાવન ખાતે ૩૦મે ના શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ પ્રાંરંભ થશે. જેમા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં દ્વારકાના શાસ્ત્રી ચેતનભાઈ સાતા કથાનું રસપાન કરાવશે. કથાના મુખ્ય યજમાન પદે ઓખા નિવાસી હાલ રાજકોટ સ્વ. વિનોદરાય તુલસીદાસ જટણીયા તથા સ્વ. વિણાબેન વિનોદરાય જટણીયા પરીવાર રહેશે.
કથાના પાવન પ્રસંગે નૂસિંહ પ્રાગ્ટય, ,વામન પ્રાગ્ટય, રામજન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, મનોરથ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષમણી વિવાહ જેવા વિવિધ ઉત્સવો ઉજવાશે. વૃંદાવન ખાતે શોભાયાત્રા વાજતે ગાજતે બંગલાધાટથી વિશ્રામઘાટ સુધી રાખેલ છે.જેના યજમાન રાજેશ વી જટણીયા, પ્રતિકવી જટણીયા રહેશે .આ યાત્રા પ્રવાસમાં ઓખા, મિઠાપુર, દ્વારકા, જામનગર, રાજકોટ, સહિતના ૨૫૦થી વધુ રઘુવંશી સમાજના સિનીયર સિટીઝન સહિત ના લોકો યાત્રામા સામિલ થશે.
યમુનાજીને બે વખત ભવ્ય ચુંદડી મનોરથનુ આયોજન
વૃંદાવન ખાતે લોહાણા મહાજન દ્વારા ભાગવત કથા દરમ્યાન બે વખત ચુંદડી મનોરથનુ આયોજન કરવામાં આવ્યું છે જેમા તારીખ ૩૦-૫-૨૪ ના રોજ કાંતીલાલ લક્ષ્મીદાસ પંચમતીયા પરીવાર દ્વારા અને તારીખ ૩-૬-૨૪ ના રાજેશ જટણીયા અને પ્રતિક જટણીયા પરીવાર દ્વારા રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech