ધો.6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે 'ચિલ્ડ્રન  પેઇન્ટિંગ વર્કશોપ'નું આયોજન

  • September 27, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધો.6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે 'ચિલ્ડ્રન  પેઇન્ટિંગ વર્કશોપ'નું આયોજન

વિદ્યાર્થીઓએ તા. 5 ઓક્ટોબર સુધીમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર ખાતે અરજી રજૂ કરવાની રહેશે

જામનગર તા.27, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન આગામી દિવસોમાં યોજાનાર છે.બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈને ધોરણ-૬ થી ૧૦ સુધીના ૧૦૦ વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક માટેનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છતા શાળાના વિદ્યાર્થીઓએ નિયત નમુના અરજી ફોર્મ ભરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગર ખાતે મેળવી તા.૦૫/૧૦/૨૦૨૩ બપોર ૧૨:૦૦ કલાકે સુધીમાં પરત મોકલવાનું રહેશે.વર્કશોપના સ્થળ અને સમય અંગે અરજીઓ આવ્યા બાદ જાણ કરવામાં આવશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application