કર્મચારી તથા કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સંસ્થાઓએ સવેતન રજા અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવાની રહેશે

  • February 15, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા.૧૬ ફેબ્રુઆરી, રવિવારના રોજ જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ ૧૪-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.આ  ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ રવિવારના સવારે ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે.


​​​​​​​ ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ - ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારા ફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.તેમ રાજ્યના શ્રમ આયુકતની યાદીમાં જણાવાયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application