બ્રિજ સહિત મ્યુનિ.પ્રિમાઇસીસ ઉપરથી કેબલ અને બ્રોડબેન્ડ નેટવર્કના વાયર દૂર કરવા આદેશ

  • June 04, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના બ્રિજ સહિતની પ્રિમાઇસીસ ઉપર લગાવેલા કેબલ નેટવર્કના વાયરો, બ્રોડબેન્ડ નેટવર્કના વાયરો, ટેલીવિઝનના વાયરો સહીત અન્ય કોઇપણ પ્રકારના વાયરો દિવસ સાતમાં દુર કરવા જે–તે એજન્સીને મ્યુનિસિપલ કમિશનર દ્રારા સુચના આપવામાં આવી છે. જો જે–તે એજન્સી દ્રારા દિવસ–૭માં જાતે દુર નહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ પ્રકારના તમામ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ જેવી કે, શહેરમાં આવતા તમામ ઓવરબ્રિજ–અન્ડરબ્રિજ, પોલ, હોડગ્સ વિગેરે જેવી પ્રિમાઈસીસમાં જે–તે કેબલ નેટવર્ક એજન્સી, ટેલિવીઝન નેટવર્ક, બ્રોડબેન્ડ નેટવર્ક એજન્સીને દિવસ સાતમાં આ પ્રકારના વાયરો દુર કરી લેવા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્રારા સુચના આપવામાં આવે છે. જો જે–તે એજન્સી દ્રારા દિવસ સાતમાં આ પ્રકારના વાયરો દુર કરવામાં નહી આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application