આપ દ્વારા રામધૂન બોલાવી, રાજીનામાની માંગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર અંગે તાજેતરમાં કરેલા કથનનો ખંભાળિયામાં પણ વિરોધ ઉઠ્યો છે. અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તાજેતરમાં વિરોધ વ્યક્ત કરતા કાર્યક્રમમાં અહીંના ચાર રસ્તા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેસીને રામધૂન બોલાવી, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.
આટલું જ નહીં, કાર્યકરોએ અહીંના જિલ્લા કલેકટરને એક લેખિત આવેદન પત્ર પાઠવી અને અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech