પ્રોજેકટ પૂર્ણ નહીં થતા રોકાણના નાણા પરત કરવાનો ૯.૩૬ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે પ્રોજેકટના પ્રમોટરને એક વર્ષની જેલસજાનો હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, નિવૃત શિક્ષિકા દક્ષાબેન શાંતિલાલ ત્રિવેદીએ કાલાવડ રોડ ઉપર રાજેશ નગીનદાસ પારેખ વગેરે પ્રમોટરોના રેડરોઝ વિલાના નામથી સુચિત પ્રોજેકટમાં . ૯.૫૧ લાખમાં યુનિટ ન.ં ૨૧ બુકીંગ કરાવ્યું હતું. તેમાં દક્ષાબેને કટકે કટકે બેંક દ્રારા તથા રોકડેથી કુલ ા. ૯.૩૬ લાખ ચુકવી આપ્યા હતા, પ્રોજેકટ શ થયેલ નહીં, સાથે શિક્ષિકા દક્ષાબેને નાણા પરત માગતા લેણી રકમ પરત કરવાનાં હેતુથી સમાધાન કરીને આયોજકો પૈકીના રાજેશ નગીનદાસ પારેખે ા. ૯.૩૬ લાખનો ચેક આપેલો, જે ચેક બેંકમાંથી રિટર્ન થતા દક્ષાબેને તેમના વકીલ મારફત લીગલ નોટિસ ફટકાર્યા બાદ આરોપી રાજેશ નગીનદાસ પારેખ વિધ્ધ રાજકોટની કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરીયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ દ્રારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજો તેમજ પુરાવો લીધા પછી અદાલતે આરોપી રાજેશ નગીનદાસ પારેખને તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેસની સજાનો હત્પકમ ફરમાવેલ છે. આ કામે ફરીયાદી તરફે વકીલ કેતન એન. સિંધવા, પંકજ આર. દોંગા તથા સહાયક નિશાબેન લાડવા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના દાવા પોકળ, BLA એ કહ્યું- યુદ્ધ પૂરું થયું નથી, અમે પાક.ના 100થી વધુ સૈનિકો ઠાર કર્યા
March 14, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech