મવડીમાં દંપતી સહિત ત્રણને બેભાન કરી 1.33 લાખ મત્તાની લૂંટમાં એક ઝડપાયો: બેની શોધ

  • October 14, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મવડીની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા પરિવારના ઘરમાં ઘૂસી નડતર દૂર કરવાની વિધિના બહાને ત્રણ શખસોએ દંપતી સહિત ત્રણને બેભાન કરી સોનાના બે ચેઇન સહિત રૂ.1.33 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી.આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી બેડલા ગામે રહેતા શખસને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી બે ચેઇન અને બાઇક સહિત રૂ.1.53 લાખનો મુદામાલ કબજે આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અંકિત શૈલેષભાઇ જોટાણિયા, તેના પત્ની અને તેના માતાને પાણી પીવડાવી વિધિ કરવાનું નાટક કરી ત્રણ શખ્સ સોનાના બે ચેઇન અને રોકડા રૂ.3500 સહિત કુલ રૂ.1,33,500નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.બનાવને લઇ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.આર.ભરવાડ તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ માહિતીના આધારે તપાસ હાથ ધી હતી.દરમિયાન હેડ કોન્સ.હરપાલસિંહ જાડેજા,મયુરસિંહ જાડેજા અને મહાવિરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નવા 150 ફૂટ રિંગ રોડ પર કટારિયા ચોકડી પાસેથી બેડલાના રાયધન કાના રાઠોડ(ઉ.વ 45)ને ઝડપી લીધો હતો અને તેની પાસેથી લૂંટના બંને ચેઇન બાઇક સહિત રૂ. 1.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપીની સઘન પુછતાછ કરતા રાયધન રાઠોડે આ લૂંટમાં તેની સાથે કુખ્યાત શાયર ભીખા રાઠોડ અને અનિલ જેસુખ નકુમની પણ સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. પોલીસ જણાવ્યું હતું કે, રાયધન અગાઉ એક ગુનામાં તથા શાયર રાઠોડ ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. શાયર અને અનિલ હાથ આવ્યા બાદ અન્ય કેટલાક ગુનાના ભેદ ઉકેલાવાની શકયતા સેવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application