છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા આઇઇડી IED વિસ્ફોટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નો એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર સીઆરપીએફની ૧૯૬મી બટાલિયનની એક ટીમ સવારે મહાદેવ ઘાટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે અચાનક જ વિસ્ફોટ થયો હતો.
વધુમા જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન સીઆરપીએફના જવાને અજાણતામાં પ્રેશર આઇઇડી પર પગ મૂકી દીધો હતો, જેના કારણે વિસ્ફોટ થયો હતો. આથી જવાન ઘાયલ થયો હતો અને તેને બીજાપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પહેલા શુક્રવારે બીજાપુર જિલ્લાને અડીને આવેલા નારાયણપુર જિલ્લામાં બે સ્થળોએ નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા આઇઇડી વિસ્ફોટમાં એક ગ્રામીણનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. 6 જાન્યુઆરીના રોજ, નક્સલીઓએ બીજાપુર જિલ્લામાં આઇઇડી વડે એક વાહનને ઉડાવી દીધું હતું, જેમાં આઠ પોલીસકર્મીઓ અને એક નાગરિક ડ્રાઇવરનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુટ્યુબર્સ રણવીર અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી: FIR દાખલ, મહિલા આયોગની કાર્યવાહી
February 11, 2025 10:39 PMડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, વિદેશી લાંચ કાયદા પર રોક લગાવી, અદાણી ગ્રુપના શેરમાં આવ્યો ઉછાળો
February 11, 2025 10:34 PMજામનગર મનપામાં રજૂ કરાયેલા બજેટમાં સુધારા સાથેના કરબોજ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને વિગતો આપી
February 11, 2025 07:14 PMજમ્મુમાં LoC નજીક IED વિસ્ફોટ, બે જવાન શહીદ
February 11, 2025 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech