બિલ્ડીંગનો અડધો હિસ્સો આજે તંત્ર તોડી પાડશે: અગાઉ એક હજાર ફલેટધારકોને નોટીસ આપી હતી: બે માસ પહેલા જ બિલ્ડીંગ ખાલી કરાવ્યું હતું: ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર, કમિશ્નર, ચેરમેન સહિતના અગ્રણીઓ દોડી ગયા
શહેરમાં રવિવારે સવારે સાધનાકોલોનીમાં એક જર્જરીત ત્રણ માળની ઇમારતનો ભાગ તુટી પડતાં એક યુવકને ગંભીર ઇજા થઇ હતી અને ત્યારબાદ તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું, કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટીસ આપવા છતાં પણ કેટલાક લોકો આવાસ ખાલી કરતા નથી, એક હજારથી વધુ આવાસધારકોને નોટીસ ફટકારવામાં આવી છે, એટલું જ નહીં ચોમાસા પહેલા આ બ્લોક સંપૂર્ણ ખાલી કરાવાયો હતો, પરંતુ આ બ્લોકમાં આશ્રય લેવા આવેલા યુવાન ઉપર ઇમારત પડી હતી, આ બનાવ બનતા જ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ચેરમેન નિલેશ કગથરા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં, કોર્પોરેશન દ્વારા આજે બાકીનો ભાગ તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.
આ અંગેની વિગત એવી છે કે, રણજીતસાગર રોડ પર આવેલી સાધનાકોલોનીમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવાયેલા આવાસના મકાનો જર્જરીત થઇ ગયેલા હોવાથી તા.23 જૂન 2023ના રોજ અડધો ભાગ પડી જતાં એક પરીવારના ત્રણ લોકોના મોત થયા હતાં, ત્યારબાદ ગઇકાલે એમ-68 નામના બિલ્ડીંગને અગાઉથી ખાલી કરવામાં આવ્યો હતો અને સવારે 4:30 વાગ્યે આવાસની ઇમારતનો અડધો ભાગ ધડાકાભેર તુટી પડતા ફાયરબ્રિગેડનો સ્ટાફ, 108ની ટીમ, ચીફ ફાયર ઓફીસર બિશ્ર્નોઇ, ડીએમસી ઝાલા, એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં અને તાત્કાલીક કાટમાળ દુર કરાવવા કામગીરી કરી હતી.
ગંભીર રીતે ઘાયલા થયેલા યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું, કોર્પોરેશન દ્વારા જર્જરીત એવા એલ-91, 92 અને 93 બિલ્ડીંગમાં રહેતા 16 પરીવારોને પણ તાત્કાલીક ખસી જવા ચેતવણી આપવામાં આવી હતી. મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના જણાવ્યા અનુસાર ચોમાસા પહેલા આ તમામ ભાગ ખાલી કરવામાં આવ્યો હતો, એક વર્ષ પહેલા આ બ્લોકનો એક ભાગ તુટી પડતા 10 વ્યકિત દટાયા હતાં જેમાંથી 7નો બચાવ થયો હતો અને 3ના મોત થયા હતાં.
લોકોના આવાસ ખાલી કરાવાયા હોવાથી પણ ફરીથી રહેવા આવી જતાં હોય આ પ્રકારની ઘટના બને છે ત્યારે જર્જરીત મકાનોમાં રહેલા લોકોને તાત્કાલીક દુર ખસી જવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech