કિયારાએ કહ્યું આખો મહીનો અનીવર્સરી ચાલી
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ કપલે વર્ષ 2023માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને એક વર્ષ વીતી ગયું છે. આ અવસર પર કિયારાએ જણાવ્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેને
બોલિવૂડ લવબર્ડ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની સુંદર બોન્ડિંગને કારણે ચર્ચામાં રહે છે. બંનેએ તેમની કારકિર્દીમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે અને વાસ્તવિક જીવનમાં પણ બંને એકબીજાની કંપનીનો આનંદ માણે છે. ચાહકો પણ તેમની જોડીને પસંદ કરે છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર મુકતા રહે છે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મેરેજ એનિવર્સરી નિમિત્તે દુબઈ ગયા હતા. અહીં તે એક લક્ઝરી હોટલના લોન્ચિંગનો ભાગ બન્યા હતા . આ ખાસ અવસર પર, કપલે તેમના ગ્લેમરથી બધાને પ્રભાવિત કર્યા. આ દરમિયાન, એક ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન, કિયારાને પૂછવામાં આવ્યું કે તેણીને ફસ્ટ મેરેજ એનિવર્સરીના અવસર પર ભેટ તરીકે શું મળ્યું?
અભિનેત્રીએ પણ આનો ખૂબ જ સુંદર જવાબ આપ્યો. કિયારાએ કહ્યું કે તેને ઘણો પ્રેમ મળ્યો. તેના જવાબ પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમજ કિયારાએ પહેલા તેના પતિ તરફ શરમાતા નજરે જોયું અને પછી કહ્યું – આ માત્ર એક દિવસ નહી… એનિવર્સરી આખો મહિનો ચાલી !” સિદ્ધાર્થે વધુમાં કહ્યું કે આ એક શાનદાર સફર હતી જે બંનેએ સાથે મળીને નક્કી કરી હતી.
કિયારા અને સિદની જોડી ફેન્સની ફેવરિટ જોડીમાંથી એક છે. બંનેએ દુબઈમાં તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન કિયારા અને સિદ્ધાર્થ વચ્ચે નિકટતા વધી ગઈ હતી. બંને આ ફિલ્મનો ભાગ હતા. આ પછી, બંને કલાકારોએ ફેબ્રુઆરી 2023 માં રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યા. લગ્ન દરમિયાનની તસવીરો વાયરલ થઈ હતી. બંને પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સારું સંતુલન જાળવી રાખે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરએફ એક મહોરુ છે પણ તેની પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ
April 23, 2025 11:14 AMજામનગરમાં સગીરા સાથે બળજબરીના પ્રયાસમાં આરોપીને પાંચ વર્ષની સજા
April 23, 2025 11:14 AMટીઆરએફ એક મહોરુ છે પણ તેની પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ
April 23, 2025 11:14 AMજગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો કાલે પ્રાગટ્ય મહોત્સવ
April 23, 2025 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech