જામનગરમાં સિંધી સમાજ દ્વારા 70 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ અને શોભાયાત્રા યોજાય છે, શનિવાર તા.12ના રોજ સાંજે 7:00 વાગ્યે પ્રદર્શન મેદાનમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવશે, આ પૂતળા હાલ મેટાલીક ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં તૈયાર થઇ ગયા છે, શનિવારે બપોરે 3 વાગ્યે નાનકપુરીથી એક વિશાળ શોભાયાત્રા નિકળશે જે શોભાયાત્રા પ્રદર્શન મેદાનમાં પૂર્ણ થશે, ત્યારબાદ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે, આજે પૂતળા બનાવવા અંગે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સિંધી સમાજના આગેવાનોની ટીમ પહોંચી હતી જેમાં પૂર્વ મંત્રી પરમાણંદભાઇ ખટ્ટર, સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી કે.ટી.સંતાણી, ઉપપ્રમુખ હરેશ ગનવાણી, દશેરા કમીટીના ચેરમેન પ્યારેલાલ રાજપાલ, કો.ઓડીનેટર ધનરાજ મંગવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech