જામનગરમાં રણજીત રોડ પર ગઈકાલે રાત્રે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો, અને સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતાં આગળ જઈ રહેલા ત્રણથી ચાર સ્કૂટરને હડફેટમાં લઈ લીધા હતા. આ બનાવને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
બેડી ગેટથી રણજીતરોડ પર પુરપાટ વેગે જઈ રહેલા કાર ચાલકે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાથી ટ્રાફિકજામ થયો હતો, અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એકત્ર થયેલા લોકોએ કાર ચાલકને તેમાંથી બહાર કાઢી લઈ લમધારી નાખ્યો હતો. જે દરમિયાન પોલીસ તંત્રને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આખરે મામલો થાળે પડ્યો હતો, અને રણજીત રોડ પરના વાહન વ્યવહાર ને પૂર્વવત બનાવ્યો હતો. સમગ્ર બનાવ મામલે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech