જીવાપરમાં કારોતરો કરડી જતા વૃઘ્ધાનું મોત

  • September 01, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલરામાંથી નિરણ લેવા જતા ડંખ મારતા સારવારમાં દમ તોડયો

જામનગર નજીક જીવાપર વાડી વિસ્તારમાં એક વૃઘ્ધાને નિરણ લેવા જતી વેળાએ સાપ કરડી જતા સારવારમાં મૃત્યુ નિપજયું છે.
જામનગર તાબેના જીવાપર ગામ વાડી વિસ્તારમાં રહેતા નાનુબેન મોહનભાઇ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃઘ્ધા તા. ૩૦ના રોજ ઢોરને નીરણ નાખવા માટે કાલરામાંથી નીરણ લેવા ગયા હતા એ વેળાએ પગની ઘુંટી પાસે ઝેરી સાપ કરડી જતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે જીવાપર ગામમાં રહેતા હરેશ મોહનભાઇ પરમાર દ્વારા સિકકા પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
**
ખંભાલીડા ગામમાં બિમારી સબબ પ્રૌઢનું મૃત્યુ
જામનગર તાલુકાના ખંભાલીંડા ગામ નાનોવાસમાં રહેતા મહિપતસિંહ કરણસિંહ જાડેજા (ઉ.વ.૬૫) નામના વૃઘ્ધને આશરે સાત માસથી ફેફસા અને શ્ર્વાસની બિમારી હોય આ બિમારીના કારણે તેમની તબીયત અચાનક ખરાબ થતા તેઓને ધ્રોલ સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયુ હતું, બનાવ અંગે વિરમદેવસિંહ જાડેજાએ પંચકોશી-એમાં જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application