ઓખામાં બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ અબ્દુલભાઈ મકવા નામના 42 વર્ષના મુસ્લિમ યુવાન મંગળવારે તેમની કટલેરીની લારી લઈને જઈ રહ્યા હતા, ત્યારે મદની ચોકમાં સવાભા સાંંચલભા અને ઈમરાન ઉર્ફે ટમેટા નામના બે શખ્સોએ તેમની પાસે આવી, કોઈ બાબતે બોલાચાલી કરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, ફરિયાદી ઉમરભાઈને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી, મીઠાપુરના યુવાન પર હુમલો
મીઠાપુરમાં રહેતા કનૈયાભાઈ ઉર્ફે કાનાભાઈ સામરાભાઈ હાથીયા નામના 24 વર્ષના યુવાન તેમના મિત્ર મેહુલભાઈ સાથે ચા પીવા ગયા હતા. ત્યારે અહીં સુરજકરાડીનો રહીશ રાકેશ ધના રોશિયા નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તેના વિરુદ્ધમાં કરેલી ફરિયાદ પાસે ખેંચી લેવાનું કહી, તેમને બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કનૈયાભાઈ ઉર્ફે કાનાભાઈ હાથીયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે રાકેશ ધના રોશિયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત
ખંભાળિયાના હાપીવાડી હર્ષદપુર વિસ્તારમાં રહેતા ધનાભાઈ પુનાભાઈ ચોપડા નામના યુવાન તેમનું જી.જે. 37 ઈ. 2614 નંબરનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે પ્રાથમિક શાળા નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 બી.એલ. 7482 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ખંભાળિયામાં પરવાના વગરના હથિયાર સાથે શખ્સ ઝડપાયો
ખંભાળિયા નજીક આવેલા હાપીવાડી રોડ વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ સૂકાભાઈ સામતભાઈ જમોડ નામના 32 વર્ષના શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની રૂ. 1,000 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech