પ્રમુખ તરીકે સુશિલ કામદાર બિનહરીફ: પ્રમુખ માટે ૪ અને કારોબારી સમિતિના સભ્યો માટે 26 ઉમેદવારોની દાવેદારીઃ સંસ્થા ચૂંટણી પંચના સભ્યોના સકારાત્મક અભિગમથી ચૂંટણી બિનહરીફ
જામનગરની અગ્રણી જૈન સંસ્થા શ્રી દશાશ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી)માં વર્ષ ૨૦૨૪- ૨૫ અને ૨૦૨૫-૨૬ એમ બે વર્ષ માટે સંસ્થાના પ્રમુખ અને કારોબારી સભ્ય માટેની બેઠકમાં અને કારોબારીના દસ સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. હરે
પ્રમુખ આ અંગેની વિગત મુજબ જામનગરની અગ્રણી જૈન સંસ્થા શ્રી દશાશ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી)માં આગામી ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ એમ બે વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તથા કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ માટે ૪ અને કારોબારી સમિતિના ૧૦ સભ્યો માટે ૨૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સંસ્થા ચૂંટણી પંચના સભ્યો નિલેશભાઈ કગથરા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જામનગર મહાનગરપાલિકા), નિલેશભાઈ ઉદાણી અને પરેશભાઈ વાઘરના પ્રયત્નો અને સકારાત્મક અભિગમથી પ્રમુખ તરીકે સુશિલભાઈ કામદારની આગામી બે વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. છે.
તેમજ કારોબારી સમિતિના સભ્યો તરીકે સંજયભાઈ ટોલિયા, રાજુભાઈ કામદાર, પંકજભાઈ વાઘર, હસમુખભાઈ (ગટુભાઈ) શાહ, અજયભાઈ શેઠ, જીગ્રેશભાઈ શાહ, પુનીતભાઈ શેઠ, નિશાંતભાઈ પારેખ, સુનિલભાઈ કોઠારી તથા સંદીપભાઈ પતિરા નામના દશ સભ્યોની સર્વાનુમત્તે નિમણૂંક કરવામાં આવી હતી. સંસ્થાની ચુંટણી સમિતિના સભ્યો તરીકે પ્રો. વાય. સી. મહેતા, ડો. કલ્પનાબેન ખંઢેરિયા અને મહેન્દ્રભાઈ કોઠારીએ સેવા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરંગમતીના પ્રોજેકટના પ્રારંભીક કામ માટેે રુ. ૨૫ કરોડની ફાળવણી
May 14, 2025 10:54 AMભારત - પાક વચ્ચે સીઝ ફાયર માટે મેં ટ્રેડ વેપન અજમાવ્યું: ટ્રમ્પની ફરી શેખી
May 14, 2025 10:53 AMબાંગ્લાદેશ છોડીને પાકિસ્તાની હાઈ કમિશનર ફરાર,અનેક અટકળો
May 14, 2025 10:48 AMપહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વેબસાઈટો પર 15 લાખ એટેક, માત્ર ૧૫૦ જ સફળ થયા
May 14, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech